સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ એટલા બધા સવાલ છે જેનો જવાબ પોલિસ પણ શોધી શકી નથી. સુશાંત પાસે પૈસાની અછત ન હતી અને નવેમ્બરમાં તો તે લગ્ન કરવાનો હતો, શા કારણે તેણે જીવન ટુંકાવ્યુ તે સવાલ એક પઝલ બનીને રહી ગયો છે.
સુશાંત પાસેથી કેમ છીનવી ફિલ્મો?
કોન્ટ્રાક્ટને કારણે કેટલી ફિલ્મો ગઇ?
સુશાંત પર સવાલો અકબંધ
કાઇ પો છે ફિલ્મથી ડેબ્યૂ કરનાર સુશાંતને 3 ફિલ્મો સુધી જે તે પ્રોડક્શન હાઉસ સાથે જ ફિલ્મ કરવાની રહેશે તેવો કોન્ટ્રાક્ટ હતો. તે જ પ્રોડક્શન હાઉસની બીજી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ રિલીઝ થઇ અને બાકી કોઇ ફિલ્મ બનવાના એંધાણ દેખાતા નહોતા.
તે જ સમયમાં સુશાંતને રામલીલા, બેફિકરે અને બાજીરાવ મસ્તાની ઑફર થઇ હતી પરંતુ કોન્ટ્રાક્ટના કારણે તેની પાસેથી આ ફિલ્મ લઇ લેવામાં આવી અને એક ખાસ એક્ટર સાથે આ ફિલ્મ કરવામાં આવી. આપ સૌ જાણો છો કે આ ત્રણેય ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ.
સુશાંત આ કોન્ટ્રાક્ટથી કંટાળઈ ગયા હતો, કારણ કે મોટા બેનરની ફિલ્મો તેને છોડવી પડી રહી હતી. બાદમાં તેણે કંટાળીને પીકે ફિલ્મ સાઇન કરી. કોન્ટ્રાક્ટની પરવા કર્યા વગર તેણે એ ફિલ્મ સાઇન કરી લીધી હતી. જો તે ત્રણ ફિલ્મો તેણે સાઇન કરી હોત તો તે અત્યારે ટોચના કલાકારોમાનો એક હોત.
સુશાંતને જે પ્રોડક્શન હાઉસ સાથે કોન્ટ્રાક્ટ હતો બીજા એક કલાકારને પણ એજ પ્રોડક્શન હાઉસ સાથે સરખો કરાર હતો. બીજા કલાકારને બીજી બધી જ ફિલ્મો કરવાની છૂટ હતી તો સુશાંતને શા કારણે બાંધી રાખવામાં આવ્યો હતો.
કરન જોહર પ્રડક્શનની એક ફિલ્મ ડ્રાઇવમાં સુશાંત હતો અને બાદમાં ફિલ્મને ડિસ્ટ્રીબ્યૂટર્સ નથી મળ્યા એમ કહીને રિલીઝ ન થવા દીધી. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. પોલિસને શંકા થઇ છે કે કરન જોહરને કેવી રીતે ડિસ્ટ્રીબ્યૂટર્સ ન મળ્યા. આ બાબતે પોલિસ પૂછપરછ કરે તેવી સંભાવનાઓ છે.