બોલિવુડ એક્ટ્રર શાહિદ કપૂરને લઈને છેલ્લાં કેટલાંક સમયથી એક સમાચાર વાયરલ થઈ રહ્યાં છે જે અનુસાર શાહિદ કપૂરને પેટનું કેન્સર છે અને તેથી જ તેની હાલતમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યાં છે. શાહિદને પહેલાં સ્ટેજનું કેન્સર છે અને આ વાતને છુપાવીને રાખવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે એક મીડિયા પોર્ટલે એક્ટરના નામ વગર સમાચાર ચલાવ્યા હતાં અને તેમાં જે માહિતી આપી હતી તે સ્પષ્ટ રીતે શાહિદ કપૂર તરફ ઈશારો કરતી હતી.
શાહિદના પરિવાર સાથે કરી વાતઃ
શાહિદને કેન્સર હોવાની વાત જ્યારે મીડિયામાં વાયરલ થઈ તો એક ન્યૂઝ ચેનલે આ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે શાહિદના પરિવારનો સંપર્ક કર્યો હતો. જ્યારે શાહિદના પરિવારને આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા હતાં. પહેલાં તેમણે આ વાતનું ખંડન કર્યું હતું અને પછી કહ્યું હતું કે લોકો કેવી રીતે ગમે તે લખી શકે. આ સમાચાર કયા આધાર પર લખવામાં આવ્યા છે. આ રીતની અફવાઓ ફેલાવી જોઈએ નહીં. તો શાહિદની મેનેજર આકાંક્ષાએ પણ આ વાતને ખોટી ગણાવી છે. આકાંક્ષાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો પહેલાં તે હસી પડી હતી અને પછી કહ્યું હતું કે શાહિદ હાલમાં 'કબીર સિંહ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થવાની છે.
આ વર્ષે બોલિવૂડ સેલેબ્રિટીઝને થયુ કેન્સર:
આ વર્ષે બોલિવૂડમાંથી સોનાલી બેન્દ્રે ઈરફાન ખાન નફિસા અલી આયુષ્માનની પત્ની તાહિરાને કેન્સર થયું છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે રીષિ કપૂરને પણ કેન્સર છે અને તે અમેરિકામાં તેની સારવાર લેવા ગયો છે. જોકે તેમના ભાઈ રણધીરે કપૂરે આ વાતનું ખંડન કર્યું હતું.