કોરોના સંકટની વચ્ચે દેશભરમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટીની ચર્ચા થઇ રહી છે. દેશના 15 થી વધારે રાજ્યોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટીને મંજૂરી આપવામાં આવી છે. જોકે સવાલ એમ છે કે આ શું છે અને તેનો ફાયદો સામાન્ય જનતાને કેવી રીતે મળશે. જાણીએ આ વિશે વિસ્તારથી....
શું છે રાશન કાર્ડ પોર્ટેબિલિટી
જે રીતે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી કરવામાં આવે છે, તેજ રીતથી રાશન કાર્ડને પણ પોર્ટ કરાવી શકાશે. મોબાઇલ પોર્ટમાં તમારો નંબર નથી બદલાતો પરંતુ તમે દેશભરમાં તેનો ઉપયોગ કરી શકો છો અને તેજ રીતે રાશન કાર્ડ પોર્ટેબિલિટીમાં તમારું રાશન કાર્ડ નહી બદલાય, એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાઓ છો તો તમે રાશન કાર્ડનો ઉપયોગ કરીને બીજા રાજ્યમાંથી રાશન કાર્ડ ખરીદી શકો છો.
દાખલા તરીકે કોઇ એક વ્યકિત ગુજરાતનો નિવાસી છે અને તેનું રાશન કાર્ડ પણ ગુજરાતનું છે, તો તે આજ રાશન કાર્ડની મદદથી કર્ણાટક અથવા તો અન્ય રાજ્યમાંથી રાશન ખરીદી શકશે. એટલે કે કોઇ પણ પ્રકારની સીમા અથવા તો નિયમોમાં બંધન નહી હોય. દેશના કોઇ પણ રાજ્યમાંથી રાશન ખરીદી શકશે. આ માટે કોઇ નવા રાશન કાર્ડની જરૂર નહી પડે, એટલે કે જૂનું રાશન કાર્ડ માન્ય ગણાશે.
કયા રાજ્યોમાં છે લાગૂ?
તમને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 17 રાજ્યોમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટીને લાગૂ કરી દેવામાં આવી છે. આ લાગૂ કરનારામાં ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, કેરલ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરા જેવા રાજ્યો શામેલ છે. આ સુવિધા દેશભરમાં 1 જૂનથી લાગૂ થઇ જશે.
સરકારે આ યોજનાને એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ નામ આપ્યુ છે. આ યોજનાથી સરકારને આશા છે કે, ભષ્ટ્રાચાર પર પકડ આવશે અને ફર્ઝી રાશન કાર્ડ નહી બને. સરકારી આંકડા અનુસાર, 75 કરોડ લાભાર્થીઓને આ દાયરામાં લેવામાં આવ્યા છે જોકે તેણો લક્ષ્ય 81.35 કરોડનો છે.