12 સપ્ટેમ્બરના ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર ધોની સાથે ફોટો શું શૅર કર્યો લોકોની વચ્ચે માહીના સંન્યાસને લઇને અટકળો ચાલવા લાગી, જોકે પાછળથી વિરાટ કોહલીએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, ''મને બોધપાઠ મળ્યો કે દરેક લોકો એક સરખું નથી વિચારતા.'' તો હવે ધોનીના સૌથી નજીકના વ્યકિત ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક એન.શ્રીનિવાસને ભારતીય વિકેટકીપરના ભવિષ્યને લઇને નિવદેન આપ્યુ છે.
એમ.એસ.ધોનીને લઇને CSKના માલિકનું નિવેદન
એમ.એસ.ધોનીની કેપ્ટન્સીમાં 3 વખત ટાઇટલ જીતી CSK
ચેન્નાઇ સુપરકિંગ્સને જીતાડ્યા 3 ટાઇટલ:
વાસ્તવમાં IPLની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક એન.શ્રીનિવાસને મહેન્દ્ર સિંહ ધોનીને લઇને મોટો ખુલાસો કર્યો છે. ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સને પોતાની કેપ્ટન્સીમાં 3 ટાઇટલ જીતાડ્યા છે. જોકે તમામની નજર માત્ર એ વાત પર છે કે, જો ધોની IPL નથી રમતો, તો તેની જગ્યાએ ટીમની કેપ્ટન્સી કોણે સોંપવામાં આવશે. જોકે એન.શ્રીનિવાસે આ મુદ્દા પર પહેલી વખત ચુપ્પી તોડતા કહ્યુ કે, હું માત્ર એક જ વાત કહીશ કે, ''IPL ની આગામી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઇની કેપ્ટન્સી સોંપવામાં આવશે અને સાથે જ ટીમ ઇન્ડિયા માટે પણ રમશે.''
8 વખત ફાઇનલમાં પહોંચી ચેન્નાઇ સુપરકિંગ્સ:
સ્પોર્ટ ફિક્સિંગના પ્રકરણ પછી ચેન્નાઇ સુપરકિંગ્સ IPLમાં સારા ફોર્મમાં છે, ટીમે જ્યાં 2018માં ત્રીજી વખત ટાઇટલ જીત્યુ, ત્યારે 2019માં ફાઇનલમાં માત્ર 1 રનથી મુંબઇ ઇન્ડિયન્સની સામે હાર મેળવવી પડી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સમીમાં ચેન્નાઇ સુપરકિંગ્સ એકમાત્ર એવી ટીમ છે જેણે IPL ની 12 સિઝનમાં 8 વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઇન્ડિયાને 2007 ના T-20 વર્લ્ડ કપ અને 2011માં વનડે વર્લ્ડ કપમાં પોતાની કેપ્ટન્સીમાં જીત અપાવી હતી. આ સિવાય ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.
27 ફેબ્રુઆરીના રમી હતી છેલ્લી T-20, 23 બૉલમાં 40 રન:
રસપ્રદ વાત છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની છેલ્લી T-20 મેચ 27 ફેબ્રુઆરીના ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ બેંગ્લોરમાં રમ્યો હતો. આ મેચમાં વિકેટકીપર બેટ્સમેન 23 બૉલ પર 40 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 3 બાઉન્ડ્રી અને એટલી જ સિક્સર ફટકારી હતી. ટીમ ઇન્ડિયાને જોકે આ મેચમાં હાર મળી હતી. ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને 190 રન કર્યા હતા, જ્યારે ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલા ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલે 55 બૉલમાં 113 રનની મદદથી 2 બૉલ બાકી રહેતા જીત મેળવી હતી.