ગુજરાતના બોટાદમાં બનેલો લઠ્ઠાકાંડ અનેક લોકોને ભરખી ગયો.આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ત્યારે આવો અમે જાણીએ કે, મિથેનોલ આલ્કોહોલ શું છે.
ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે
મિથેનોલ આલ્કોહોલ એ દારૂ નહિ, પરંતુ એક ઝેરી રસાયણ છે
મિથેનોલનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીમાં સોલવન્ટ તરીકે કરાય છે
ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે
જેમાં અત્યાર સુધી 39 થી વધુ લોકોનો ભોગ લેવાઈ ચુક્યો છે. જ્યારે 80 થી વધુ લોકો હોસ્પિટલના બિછાને સારવારમાં છે. લઠ્ઠાકાંડ બાદ તેમાં ઉમેરવામાં આવતું મિથેનોલ હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે. મિથેનોલનો ઉપયોગ બૂટલેગરો દ્વારા શા માટે કરવામાં આવે છે. અને તેમાં એવું તો કેવું ઝેર હોય છે કે, લોકોનો જીવ લઈ રહ્યો છે. તે અંગેના vtvના વિશેષ રિપોર્ટમાં જાણો. મિથેનોલના લીધે શરીર પર તેની ખૂબજ ખતરનાક અસરો થતી હોય છે. તે લઠ્ઠાકાંડ બાદ સામે આવેલા મૃત્યુઆંકથી સ્પષ્ટ થાય છે. લઠ્ઠાકાંડમાં 39 લોકોના મોત થઈ ગયા છે. મહત્વનું છે કે, આ લઠ્ઠાકાંડમાં કોઈએ બાપ કે દિકરો, તો કોઈએ ભાઈ કે પતિ ગુમાવ્યો છે.
મિથેનોલ આલ્કોહોલ એ દારૂ નહિ, પરંતુ એક પ્રકારનું ઝેરી રસાયણ છે
દારૂબંધીવાળા ગુજરાતમાં ગામેગામ દારૂ પીવાય છે. જેને પોસાય છે તે લોકો ગેરકાયદે રીતે દારૂ લાવીને છુપાઈને દારૂ પીએ છે. પંરતુ જે લોકો પાસે રૂપિયા નથી એ ગરીબો દેશી દારૂ પર આધાર રાખે છે. પણ, 10, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. પરંતુ લોકો આ વાતથી અજાણ છે કે,લઠ્ઠો એ દારૂ નહિ, પરંતુ એક પ્રકારનુ ઝેરી રસાયણ છે. જેમાં મિથેનોલ આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે. આ કેમિકલ ઉદ્યોગોમાં વપરાશમાં લેવાય છે.
મિથેનોલનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીમાં સોલવન્ટ તરીકે કરાય છે
મિથેનોલનું કેમિકલ ફોર્મ્યુલા (રાયણિક સુત્ર) CH3OH છે. મિથેનોલ આલ્કોહોલએ રંગવિહીન અને સળગી શકે તેવું ઝેરી કેમિકલ હોય છે. તે મુખ્ય રીતે કાર્બન મોનોક્સાઈડના હાઈડ્રોજન દ્વારા નિર્મિત થાય છે. તેનો ઉપયોગ અન્ય કેટલાક કેમિકલ બનાવવા માટે પણ થતો હોય છે. જેમાં એસેટિક એસિડ, મેથોલ બેનઝોએટ અને અલગ-અલગ પ્લાસ્ટિક બનાવવા માચે તેનો ઉપયોગ થાય છે. જેનો ઈન્ડસ્ટ્રીમાં સોલવન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે,
પરંતુ 40 ML કરતાં વધુ મિથેનોલ શરીર ગયું હોય તો જીવલેણ સાબિત થતું હોય છે.
આમ જો દેશી દારૂમાં તેનું પ્રમાણ 5 ટકાથી વધુ જ હોય છે. જ્યારે મિથેનોલ શરીરમાં જાય છે. ત્યારે તેની ખતરનાક એસિડિક અસરો શરૂ થાય છે. કેમિકલવાળો દારૂ પીધાના અસરની બે કલાકમાં થવા લાગે છે. જે વ્યક્તિએ કેમિકલવાળા નશાનો ઉપયોગ કર્યો હોય. તે અકળામણ અને બેચેની સાથે ઉલટી થાય છે. સખત માથાનો દુખાવો શરૂ થાતો હોય છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ લક્ષણોની સાથે દ્રશ્ય શક્તિ પણ ગુમાવવાની શરૂઆત થાય છે. જો શરીરમાં ગયેલા કેમિકલનું પ્રમાણ વધુ હોય તો વ્યક્તિ કોમામાં જતી રહે છે. અથવા મલ્ટિ ફેલિયર થાય છે. જેના કારણે તેનું મોત નીપજે છે
લઠ્ઠો બનાવવાની પ્રક્રિયાને ઝડપથી બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ કરાય છે
લઠ્ઠો મુખ્યત્વે દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફળોને પાણીમાં સડાવીને બનાવવામાં આવતો હોય છે. ગોળ અને ફળોને સડાવવા માટે પાણી સાથે માટલામાં ભરી રાખવામાં આવે છે. ઘણી વખત ફર્મેન્ટેશનની પ્રોસસ ઝડપી બનાવવા માટે માટલાને જમીનની અંદર રાખવામાં આવે છે. નિષ્ણાંતોના અનુસાર ફર્મેન્ટેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે બુટલેગરો તેમાં મિથેનોલનો ઉપયોગ કરતાં હોય છે.