રશિયા-યુક્રેન વચ્ચે સતત 13 દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે રશિયા બે વખત સીઝફાયરની જાહેરાત કરી ચૂક્યું છે. એટલે કે યુદ્ધવિરામ. ત્યારે સૌ કોઇને એવો પ્રશ્ન જરૂરથી ઊભો થતો હશે કે, આ યુદ્ધવિરામ શું હોય છે. ત્યારે આજે તેના વિશે વિગતે અહીં જણાવીશું....
યુદ્ધવિરામ એટલે જંગ ખતમ એવું નથી હોતું
યુદ્ધવિરામની હોય છે અલગ-અલગ રીત
શું હોય છે યુદ્ધવિરામ અને ક્યારે-ક્યારે થાય છે લાગુ?
છેલ્લાં 13 દિવસથી રશિયા-યુક્રેન વચ્ચે લગાતાર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ યુદ્ધ દરમ્યાન રશિયાએ યુક્રેનના અનેક શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જેથી ત્યાં ફસાયેલા લોકો સુરક્ષિત બહાર નીકળી શકે. યુદ્ધ દરમ્યાન ઘણી વાર પરસ્પર સંમતિથી બંને દેશો સંઘર્ષવિરામ કરતા હોય છે. ત્યારે અહીં જાણીશું કે આખરેં શું હોય છે આ યુદ્ધવિરામ? ક્યારે-ક્યારે તે લાગુ થાય છે અને અનેક વખત એવું પણ થયું છે કે, યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ હુમલાઓ થતા રહ્યાં હોય અને તેનું પાલન બરાબર ના કરાયું હોય.
રશિયાએ યુક્રેનના કીવ, મારીયુપોલ, ખારકિવ અને સુમીમાં યુદ્ધવિરામ જાહેર કર્યું છે. રશિયાએ એટલાં માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી કારણ કે આ સ્થળોએ ફસાયેલા લોકો આ જગ્યાઓને તાત્કાલિક ધોરણે છોડી દે અને કોઇ સુરક્ષિત સ્થાને ચાલ્યા જાય. મહત્વનું છે કે, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનના સુમીમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે.
જાણો શું હોય છે આ યુદ્ધવિરામ?
યુદ્ધવિરામ અથવા જંગબંધી (ceasefire या truce) કોઇ યુદ્ધમાં લડતા પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા લડાઈને રોકવા માટેનો આ કોલ છે. જો કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એક તરફી છે. કારણ કે આ યુદ્ધમાં સંપૂર્ણ રીતે રશિયાનું જ વર્ચસ્વ છે. એટલે કે અહીં રશિયા દ્વારા યુદ્ધવિરામની ઘોષણાનો અર્થ એ છે કે, તેઓ ના તો હવે હવાઈ હુમલા કરશે અને ના તો તેમના સૈનિકો આ સ્થળોએ કોઈ જ આક્રમક કાર્યવાહી કરશે.
ક્યારેક આ યુદ્ધવિરામ કાયમી હોય છે તો ક્યારેક આ અવરોધ માત્ર અસ્થાયી (કામચલાઉ) પણ હોય છે. ઘણી વાર યુદ્ધવિરામ પક્ષોમાં પોતાની ઔપચારિક સંધિનો ભાગ હોય છે, પરંતુ તે અનેક વાર અનૌપચારિક રૂપથી વગર કોઇ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા વિના પણ થઈ શકે છે.
બોર્ડર અથવા તો રેખા યુદ્ધવિરામ શું હોય છે?
ઘણી વાર બે પક્ષો વચ્ચે થોડોક સમય સુધી યુદ્ધ ચાલ્યા બાદ બંને પક્ષો એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે, જેમાં કોઇની પણ સંપૂર્ણ જીત થવી એ મુશ્કેલીભર્યું લાગવા લાગે છે. પરંતુ તે સંપૂર્ણ રીતે યુદ્ધને ખતમ કરવાનું એલાન નથી કરતા પરંતુ તેઓ થોડોક સમય સુધી યુદ્ધને રોકી રાખવાની સ્થિતિ માટે માત્ર સમજૂતી કરી લે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીમા પર આ જ પ્રકારનું યુદ્ધવિરામ હોય છે.
જે જગ્યા પર સેના સામસામે લડતી હોય છે તેને વાસ્તવિક પરસ્પર સરહદ તરીકે માની લેવામાં આવે છે. જો કે, એક પક્ષ અથવા તો બંને પક્ષ તેને માન્ય સીમા તરીકે માનવા રાજી નથી થતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પણ કંઇક આવી જ હાલત છે.
અનેક વાર યુદ્ધવિરામ શાંતિ કરાર પણ બની જાય છે
યુદ્ધવિરામને તમે બે દેશો વચ્ચે થયેલી એક ઔપચારિક સંધિ પણ માની શકો છો. આ સાથે જ આ સમજૂતી અંતર્ગત બે દેશોની સેનાઓ વચ્ચે એક અનૌપચારિક કરાર હોય છે. યુદ્ધવિરામ બોર્ડર પરની લડાઈને સમાપ્ત કરવા માટેના કરાર કરતાં વધારે મહત્વપૂર્ણ છે. એક સફળ યુદ્ધવિરામ ક્યારેક શાંતિ સમાધાનમાં પણ ફેરવાઈ શકે છે.
કોરિયા અને ભારત સાથેના દેશોની સ્થિતિ
ભારત અને ચીન વચ્ચે પણ કંઇક આવી જ સ્થિતિ છે. આવી સરહદોને 'યુદ્ધવિરામ રેખા' અથવા તો સીઝફાયર લાઇન પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનું યુદ્ધ પણ ઔપચારિક રીતે ક્યારેય સમાપ્ત ન હોતું થયું. 1953 માં તેમની વચ્ચે યુદ્ધવિરામ રેખા રચવામાં આવી હતી. તેને જ તેઓ હાલમાં સરહદ તરીકે માની રહ્યાં છે.
1965 ના યુદ્ધ બાદ ભારત-પાકિસ્તાનની કાશ્મીર ક્ષેત્રની સરહદને 'યુદ્ધવિરામ રેખા' પણ કહેવામાં આવે છે, પરંતુ 1971 ના યુદ્ધ બાદ શિમલા કરાર પછી તેને 'નિયંત્રણ રેખા' કહેવામાં આવે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિ
25 ફેબ્રુઆરી 2021 ના રોજ, ભારત અને પાકિસ્તાને એક નિવેદન જારી કર્યું હતું કે, બંને દેશો નિયંત્રણ રેખા (LoC) પર 2003 ના યુદ્ધવિરામ કરારનું પાલન કરશે. જો કે એલઓસી પર ઘણી વખત યુદ્ધવિરામનો ભંગ થઇ ચૂક્યો છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્રિસમસ માટે થયું હતું એક સપ્તાહનું યુદ્ધવિરામ
પ્રથમ વિશ્વયુદ્ધમાં દેશોએ નાતાલના મોકા પર પશ્ચિમી મોરચા પર યુદ્ધવિરામ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતાં. સ્પેશિયલ ક્રિસમસ માટે આ યુદ્ધ બંધ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયા સુધી ક્રિસમસની ઉજવણી કરવામાં આવી. ત્યાં સુધી ફ્રાન્સ, જર્મની, બ્રિટન દેશોએ સેનાની કાર્યવાહી સંપૂર્ણપણે અટકાવી દીધી હતી. ઉલ્ટાનું આ પ્રસંગે સૈનિકોએ ગિફ્ટોની પણ આપ-લે કરી હતી. પરંતુ એક અઠવાડિયા બાદ ફરીથી આ યુદ્ધ શરૂ થઇ ગયુ હતું.
કોરિયા યુદ્ધમાં યુદ્ધવિરામ
કોરિયાના બે ભાગો વચ્ચે 1952 માં યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં સંયુક્ત રાષ્ટ્રની પહેલ પર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એક સંધિ પર હસ્તાક્ષર કરીને યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. જે હજુ પણ તેમનામાં શરૂ છે. જો કે સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે અવારનવાર અથડામણ થતી રહે છે.
વિયેતનામમાં યુદ્ધવિરામનો ભંગ
વિયેતનામ યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું હતું, પરંતુ 1968 ના નવા વર્ષ પહેલાં અમેરિકાએ વિયેતનામના યુદ્ધમાં લડતા પક્ષો સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પરંતુ ત્યાર બાદ ત્યાં પણ ત્યાં અનેક હુમલાઓ થતા રહ્યાં.
ઇઝરાયેલ - પેલેસ્ટાઇન યુદ્ધવિરામ
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લાં બે દાયકામાં બે-ત્રણ વખત ભારે તણાવની સ્થિતિ સર્જાઇ ચૂકી છે. બંને તરફથી મિસાઈલ હુમલા પણ થયા છે. તેમાં પેલેસ્ટાઈનને વધુ નુકસાન થયું હતું. જો કે આવાં સંજોગોમાં ઈઝરાયેલનું વલણ હંમેશા આક્રમક જ રહ્યું છે પરંતુ દરેક વખતે બંને પક્ષોમાં યુદ્ધવિરામ થઇ જાય છે અને સંઘર્ષ પણ રોકી દેવાય છે.