ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ જેમાં મધ્યમવર્ગના માણસો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 66 લાખ લોકોને વર્ષે 12 કિલો તુવેરની દાળ આપવામાં આવશે તે સાથે જ બીજી પણ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી.
ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટિનસભર આહાર મળે તે માટે હવે રેશનિંગની દુકાનમાં તુવેર દાળનું પણ વિતરણ કરાશે, લાભાર્થી દીઠ વર્ષે 12 કિલો તુવેર દાળ મળશે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ. 1271 કરોડની જોગવાઈ
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ. 1271 કરોડની જોગવાઈ. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ માટે રૂ. 560 કરોડની જોગવાઈ
શિક્ષણ દ્વારા સહાય
મધ્યાહન ભોજન યોજના માટે અન્ન સંગમ યોજના. અન્ન સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઇ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 550 કરોડ.
વૃદ્ધોનું પેન્શન વધારાયુ
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અત્યારે માસિક રૂ.750ની સહાય આપવામાં આવે છે . જેમાં હવે 75 વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂ.1000 પેન્શન આપવામાં આવશે. જે માટે કુલ રૂ.117 કરોડની જોગવાઇ. હાલમાં 80 ટકા કે તેથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને માસિક રૂ.600 સહાય આપવામાં આવે છે . જેમાં વધારો કરી રૂ.1000ની સહાય આપવામાં આવશે. પાલક માતા - પિતા યોજના અંતર્ગત 18200 લાભાર્થીઓ માટે રૂ.50 કરોડની જોગવાઇ.