કચ્છ- ગુજરાત અને દેશના યુવાઓને નશાના રવાડે ચઢાવી તેને ખોખલું કરવાના નાપાક ઈરાદાનો પર્દાફાશ થઇ ગયો છે.ત્યારે બીજી બાજુ, કચ્છના જખૌ પાસે મંગળવારે નજરે પડેલી સંદિગ્ધ પેટીના મામલે પણ તપાસનો ધમધમાટ શરુ કરી દેવાયો છે. ખીદરત બેટ પાસેથી મળેલી એક પેટીમાં વિસ્ફોટક હોવાની વાતથી સનસનાટી મચી ગઈ હતી.BSF,કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીશે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.આ પેટીમાં TNT નામક વિસ્ફોટક હાથ લાગ્યો હતો.જેને BDDS-રાજકોટે નાશ કરી દીધો છે.
વિસ્ફોટકની માહિતીથી દોડ-ધામ
મંગળવારે મોડી સાંજે કચ્છના ખીદરત બેટ નજીક વિસ્ફોતાલ ભરેલી પેટી મળી આવવાની વાતથી સમગ્ર કચ્છ -ગુજરાતમાં ભારે તણાવ જેવી સ્થિતિ પેદા થઇ હતી.એક તરફ 21 હજાર કરોડની કિમતના હાથ લાગેલા હેરોઈનના જથ્થાની હજુ શાહી સુકાઈ નથી,ત્યાં જ વિસ્ફોટકની વાતે તમામ એજન્સીઓના હોંશ ઉડાવી દીધા હતા. રાજકોટથી તાબડતોબ તપાસ એજન્સીને બોલાવાઈ હતી. આ પેટીમાં TNT સીલીન્ડર હાથ લાગ્યું હતું.આ એક કેમીકલયુક્ત સીલીન્ડર હતો. કચ્છના જખૌ પાસેથી આ પ્રકારની પેટીમાં સીલીન્ડર કેવી રીતે આવ્યો તે અંગે BSF,મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ તપાસ કરી રહ્યા છે.
ગુજરાતની સમુદ્રી સેમાનો ઉપયોગ કાળા કારોબાર
2021ના વર્ષમા ગુજરાત કિનારા પર તથા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સિમામાંથી કરોડો રૂપીયાના હેરોઈન ડ્રગ્સના કન્સાઈમેન્ટ પકડાયા છે. જેમાં ગત 19 સપ્ટેમ્બરે પોરબંદર કોસ્ટ ગાર્ડ અને એટીએસ ટીમે. . આંતરરાષ્ટ્રીય દરિયાઈ સિમામાંથી 7 ઈરાની શખ્સને બોટ અને 150 કરોડ રુપીયાના હેરોઈન સાથે ઝડપી લીધા છે. ગત 15 સપ્ટેમ્બરે મુંદ્રામાંથી DIRએ બે કન્ટેનરમાંથી 2988 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. જેની કિંમત 10 હજાર કરોડ આંકવામાં આવી છે. આ સિવાય આંકડા પર નજર કરીએ તો. જાન્યુઆરી 2021માં કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની માછીમાર સાથે 175 કરોડનું હેરોઈન ઝડપાયું હતું. જ્યારે એપ્રિલ 2021માં 8 પાકિસ્તાની સાથે 150 કરોડનું 30 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું હતું. આ પહેલા ગુજરાત ATSએ 2019માં આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 100 કિલો હેરોઈનનો જથ્થો ઝડપ્યો હતો. તો 2018માં જામ સલાયાના બે શખ્સો પાસેથી 30 કરોડનું 5 કિલો હેરોઈન ઝડપાયું હતું. . તો 2017માં સુરક્ષા એજન્સીઓએ 1500 કિલોગ્રામ હેરોઈન ગુજરાતની જળસીમામાંથી ઝડપ્યું હતું. આ આંકડા જ દર્શાવે છે કે, ગુજરાત અને દેશના યુવાનોની જિંદગી બર્બાદ કરવા માટે દર વર્ષે કેટલા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે.
26/11 હુમલામાં પણ જખૌ
મુંબઈમાં કસાબ આણી મંડળીએ છત્રપતિ શિવાજી ટર્મિનસથી માંડીને હોટેલ તાજ સુધી જે ખૂનની હોળી ખેલી હતી તેનું ઉદગમસ્થાન જખૌ જ હતું. કસાબ અહીંથી પ્રવેશી દીવના ટંડેલની કૂબેર બોટમાં સવાર થયો અને મુંબઈ નજીક પહોચતા જ ટંડેલની હત્યા કરી દરિયામાં ફેંકી દીધો હતો.ત્યાર બાદ જે કઈ થયું તે દેશના સુવર્ણ ઇતિહાસના કાળા પૃષ્ઠ સમાન છે.પાકિસ્તાનની દરિયાઈ સીમાથી અવાર-નવાર આતંકીઓ પોતાના નાપાક ઈરાદા સાથે ઘુસી આવે છે.કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં 1552 કિલો ચરસનો જથ્થો ઝડપાયો છે.આ તમામ પેરવી પાકિસ્તાનની જ હોવાનું ફલિત થયું છે.