ગુજરાતમાં કોરોનામાં સપડાતું જઈ રહ્યું છે. અમદાવાદ મુખ્ય સેન્ટર બનતુ જઈ રહ્યું છે. તેમાં પણ એક સાથે 24 કલાકમાં 50 કેસ સામે આવતા જ સૌ કોઈની ઊંઘ ઉડી ગઈ છે. પરંતુ અમદાવાદમાં કોરોનાને ડામવા માટે હવે ખાસ ભીલવાડા મૉડેલને લાગુ કરાયું છે. પરંતુ આ ભીલવાડા મોડેલ છે શું..? અને કોરોનાને આ મોડેલ કેવી રીતે રોકી શકશે...? અમદાવાદમાં કેવી રીતે કોરોના પર કંટ્રોલ આવી શકશે કે નહીં તે આગામી સમય જ જણાવશે.
કોરોનાના કેસ વધતા AMC એક્શનમાં
અમદાવાદમાં ભીલવાડા મોડલનો ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, ભીલવાડા રાજસ્થાનનો એક જિલ્લો છે. જ્યાં 19 માર્ચે પહેલો કોસ સામે આવ્યો હતો. જે બાદ બીજા દીવસે 5 કેસ સામે આવતા જ તંત્ર અને અધિકારીઓ હરકતમાં આવી ગયા અને સૌથી પહેલા તો જિલ્લામાં લોકડાઉન નહીં કર્ફ્યૂ જ લાદી દેવાયું અને તાત્કાલીક ધોરણે ઘરે ઘરે જઈને લોકોના ટેસ્ટિંગ કરાયા અને અને તેમાં સફળતા મળતા 27 કેસ પોઝિટીવ નોંધાયા.
અમદાવાદમાં અપનાવાયું ભીલવાડા મોડેલ
જે બાદ આજ સુધી એટલે કે, છેલ્લા 17 દિવસોમાં એકપણ કેસ પોઝિટીવ નોંધાયા નથી. ત્યારે હવે અમદાવાદમાં પણ આ તકનીક અપનાવવામાં આવી રહી છે. જે વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા છે. તે તમામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના કોર્ટ વિસ્તારમાં 1 લાખ ઘરોનું ટેશસ્ટગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
IAS પતિ-પત્નીએ કરી કરામત
પરંતુ ભીલવાડા મોડેલ કામ કોવી રીતે કરે છે અને આ મોડેલ પાછળ બંને IAS પતિ-પત્ની અથર આમિર ખાન અને ટીના ડાભીએ કેવી કરામત કરી બતાવી તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે, ભીલવાડા એક એવો જિલ્લો છે જ્યાં સૌથી વધુ માઈગ્રેટ લોકો આવીને વસ્યા છે. બીજું કે,ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારછે.. એટલે અનેક રાજ્યોમાંથી લોકો અહીં કામ માટે આવે છે. તેવામાં કોરોનાને ડામવો મોટો પડકાર હતો. પરંતુ તંત્રએ હાર ન માનતા કોરોના સામે બાથ ભીડી.
10 દિવસની અંદર જ કર્યું કામ
લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવવા પર ભાર આપવામાં આવ્યો. ભીલવાડામાં લગભગ 18 લાખ લોકોનું ક્રીનિંગ કરવાનું કામ 10 દિવસની અંદર જ કરી દેવામાં આવ્યું. આ સિવાય જેટલા પણ લોકો સર્દી, તાવના દર્દી હતા તે તમામ લોકોને ઘરોમાંથી કાઢી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. શહેરની તમામ ફાઈવ સ્ટાર હોટલ અને થ્રી સ્ટાર હોટલ, રીસોર્ટ, અને પ્રાઈવેટ હોસ્પિટલોને સરકારે અધિગ્રહણ કરી લીધી અને અહીં કોરોના લક્ષણ જોવા મળેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા.
અમદાવાદમાં ભીલવાડા મોડેલ સફળ થશે કે નહીં તે આવનાર સમય જ જણાવશે
ભીલવાડાના વહીવટી તંત્ર, પોલીસ અને મેડિકલની થ્રી ટિયર પ્રયાસની સાથે સાથે જનતાએ પણ સ્વયં સોશિયલ ડિસ્ટેશસગનું ધ્યાન રાખ્યું. આ તમામ પ્રયાસોને કારણે ભીલવાડામાં કોરોના આગળ વધી ન શક્યો અને ઘણી હદ સુધી કોરોનાને નિયંત્રણ કરવામાં ભીલવાડાએ સફળતા મેળવી. હાલ સ્થિતિ એવીછે કો ભીલવાડામાં 27 લોકોમાંથી માત્ર 6 લોકો જ કોરોના પોઝિટિવ બચ્યા છે. બાકીના 21 લોકો સાજા થઈને ઘરે પરત ફરી ચુક્યાછે. તેવામાં આ મોડેલ પર હવે અમદાવાદમાં પણ તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે જોવું રહ્યું કે, ભીલવાડા મોડેલ અમદાવાદ માટે કેવી રીતે વરદાન સાહિત થાય છે.