મોદી સરકારે અટલ ભૂજળ અને અટલ ટનલ નામની 2 યોજનાઓ આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિવસે લોન્ચ કરી છે. કેન્દ્ર સરકારે 6000 કરોડ રૂપિયા આ યોજનાઓ માટે ફાળવ્યા છે.
કેન્દ્ર સરકારે લોન્ચ કરી 2 મોટી યોજનાઓ
અટલ ભૂજળ અને અટલ ટનલ યોજના થઈ લોન્ચ
કેન્દ્ર સરકારે 6000 કરોડ રૂપિયા ફાળવ્યા
મોદી સરકાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના અવસરે 2 મહત્વની યોજનાઓન શરૂઆત કરી રહી છે. આ યોજનાઓ અટલ ભૂજળ અને અટલ ટનલ નામથી શરૂ કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકારે 6000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના આધારે પાણીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અટલ ભૂજળ યોજનાની શરૂઆત કરવામાં આવશે. આ માટે 5 વર્ષમાં 6000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમાંથી 3000 કરોડ રૂપિયા વર્લ્ડ બેંક અને 3000 કરોડ રૂપિયા સરકાર આપશે.
શું છે અટલ ભૂજળ યોજના?
આ યોજનાનું લક્ષ્ય દેશના એ ભાગોમાં ભૂજળયોજનાને સ્તર પર ઉપર ઉઠાવવાનું છે જેમાં ભૂજળનું સ્તર ઘણું નીચે પહોંચ્યું છે. યોજનાનો હેતુ ભૂજળના પ્રમાણમાં વધારો કરવાનું છે. સાથે જ ખેડૂતોને ફાયદો પહોંચાડવાના હેતુથી પણ આ યોજના કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આવી છે.
ખેડૂતોની આવક વધારવામાં મળશે મદદ
આ યોજનાના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતીને માટે પૂરતા પ્રમાણમાં જળ ભંડારને સુનિશ્ચિત કરવા ઈચ્છે છે. સાથે જ કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ યોજનાને માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે મદદ મળશે.
કોને મળશે લાભ?
આ યોજનાનો લાભ 6 રાજ્યોને મળશે. આ યોજનામાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સામેલ છે. સરકારના આધારે આ યોજનાથી 8350 ગામોને લાભ મળશે.
શું છે અટલ ટનલ યોજના?
અટલ ટનલ યોજના મનાલીથી લેહ સુધી હશે. આ યોજનાને 2005માં મંજૂરી મળી હતી. આ માટે 4000 કરોડ રૂપિયાને મંજૂર કરવામાં આવ્યા છે. કુલ 8.8 કિલોમીટર લાંબી આ યોજનાનું 80 ટકા કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.