ચીન તેમજ ભારત સહિત અનેક દેશોમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન લાગ્યું છે કે કેમ તે તપાસવા એરપોર્ટ પર થર્મલ સ્કેનર મુકવામાં આવ્યાં છે. રોજે રોજ સમાચારમાં થર્મસ સ્કેનરની વાત કરવામાં આવે છે. હવે ગુજરાતના દરિયાકાંઠે રહેલા બંદરો પર થર્મલ સ્કેનર મુકવામાં આવશે. ત્યારે જાણો થર્મલ સ્કેનર શું છે? થર્મલ સ્કેનર કેવી રીતે પકડી પાડે છે કે કોરોના વાયરસ છે કે નહિ?
થર્મલ સ્કેનર શરીરનું તાત્કાલીક તાપમાન માપી લે છે
ભારત સરકાર 20 એરપોર્ટ પર થર્મલ સ્કેનર મુક્યા છે
જરુર જણાશે તો વિદેશથી લવાશે થર્મલ સ્કેનર
ભારતમાં ક્યાં ક્યાં છે થર્મલ સ્કેનર
ભારતમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, જયપુર, કલકત્તા અને કોચી સહિત દેશમાં 20 જેટલા એરપોર્ટ પર આધુનિક થર્મલ સ્કેનર લગવ્યા છે. દેશના વિવિધ એરપોર્ટ પર લગાવેલા થર્મલ સ્કેરના માધ્યમથી અત્યાર સુધી 38,000 લોકોનું સફળતાપૂર્વક સ્કેનિંગ કરવામાં આવી ચૂક્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અન્ય જગ્યાઓએ પણ થર્મલ સ્કેનિંગના માધ્યમથી કોરોના વાયરસના સંદિગ્ધોની તપાસ કરવામાં આવશે. આ માટે નવા થર્મલ સ્કેનરની આયાત વિદેશથી કરવામાં આવશે. ગુજરાતનાં દરિયાકાંઠાનાં બંદરો પર પણ થર્મલ સ્કેનર મુકવામાં આવશે.
થર્મલ સ્કેનરનાં કિરણોની કોઈ આડ અસર નથી
થર્મલ સ્કેનર એક એવું ડિવાઈસ છે જે કોરોનાવાયરસ કે પછી તેના જેવા જ બીજા વાયરસ કે રોગના લક્ષણોને વ્યક્તિની ઓળખી શકે છે. આ એવું મશીન છે. આ ડિવાઈસથી સામાન્ય વ્યક્તિ અને વાયરલ અસરગ્રસ્તને અલગ તારવી શકે છે. સ્કેનરની ખાસિયત એ છે કે તેમાંથી નીકળતા કિરણોની સાઈડ ઈફેક્ટ થતી નથી. તેનો ઉપયોગ નિષ્ણાંતોની નજર હેઠળ જ કરવામાં આવે છે.
થર્મલ સ્કેનર તાત્કાલીક શરીરનું તાપમાન જણાવી દે છે
થર્મલ સ્કેનિંગને સીટી સ્કેન જેવુ મશીન છે. થર્મલ સ્કેનિંગ હ્યુમન બોડીની તપાસ માટે સૌથી સરળ ઉપાય છે. વિદેશથી આવનારા લોકોએ એરપોર્ટ પર મૂકેલા એક સ્કેનરમાંથી પસાર થવાનું હોય છે. થર્મલ સ્કેનર તાત્કાલીક શરીરનું તાપમાન જણાવી દે છે. આ દરમિયાન કોઈ વ્યક્તિનાં શરીરનું તાપમાન સામાન્ય કરતા વધારે હોય તેને શંકાસ્પદ કેસ માની તેની વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. થર્મલ સ્કેનર ઈન્ફ્રારેડ કેમેરાની જેવું કામ કરે છે. આ સ્કેનરમાંથી પસાર થતાની સાથે સ્કેનર શરીરમાં રહેલા વાયરસની ઈન્ફ્રારેડ તસવીરોમાં ઝડપાઈ જાય છે. વાયરસની સંખ્યા વધારે કે ખતરનાક સ્તર પર હોય તો વ્યક્તિનાં શરીરનું તાપમાન વધી જાય છે.