ભૂંકપ, પુર, આગ વગેરે જેવી આપત્તિઓથી પોતાના ઘરને બચાવવા ઇચ્છો છો તો તમારે સૌથી પહેલા ઘરનો વીમો લેવો જોઇએ.
હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ફોર નેચરલ કેલેમિટી પોલિસીની સુવિધા આપે છે
હોમ ઇન્શ્યોરન્સ ના હોવા પર થઇ શકે છે નુકશાન
જો ભૂકંપ, પુર, આગ વગેરે જેવી પ્રાકૃતિક આપત્તિઓથી તમારુ ઘણુ નુકશાન થાય છે, તો શું તમને ઇન્શ્યોરન્સનો લાભ મળે છે. હકીકતમાં એવુ માનવામાં આવે છે કે પ્રાકૃતિક આપત્તિઓનો ક્લેમ વીમા કંપનીઓ આપતી નથી. તમને અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ OMG તો યાદ જ હશે જેમાં પ્રાકૃતિક આપત્તિના ક્લેમ માટે ભગવાન પર જ કેસ કરે છે. જો કે ફિલ્મમાં તો પરેશ રાવલે ઘણી લાંબી લડાઇ લડવી પડી હતી, પરંતુ અસલ જીવનમાં તમારે આ પ્રકારના ક્લેમ માટે લાંબી લડાઇ લડવાની કોઇ જરુર નથી.
હકીકતમાં અમુક વીમા કંપનીઓ એવી હોય છે જે હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ફોર નેચરલ કેલેમિટી પોલિસીની સુવિધા આપે છે. જો તમે હોમ ઇન્શ્યોરન્સ પ્લાન લો છો તો તમને ભૂકંપ જેવી આપત્તિથી ઘરનુ નુકશાન જ નહી પરંતુ ઘરની સામે ઘર રાખો સામાનના નુકશાનની ભરપાઇ કરવાની સુવિધા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ક્યારેક ક્યારેક ભૂકંપના આંચકા એટલે વધારે આવે છે કે લોકોના ઘર પણ પડી જાય છે. તેવામાં લોકોને મોટુ નુકશાન ઉઠાવુ પજે છે. આ પ્રકારની ઘટનાઓ તમારી સાથે ક્યારેય પણ થઇ શકે છે. તેવામાં જો તમે હોમ ઇન્શ્યોરન્સ કરાવશો તો શું ભૂંકપ જેવી આપત્તિથી થયેલ નુકશાનની ભરપાઇ કરી શકાય છે. જો ભરપાઇ થાય છે તો કેટલુ વળતર મળે છે તે તમને ખબર નથી તો અહીં તમને જાણકારી આપવામાં આવશે.
હોમ ઇન્શ્યોરન્સ ના હોવા પર થઇ શકે છે નુકશાન
પ્રાકૃતિક આપત્તિઓ દુર્લભ હોય છે. જ્યારે લોકો આવી ઘટનાઓની ખબરો જોવે છે ત્યારે વિચારે છે કે ભગવાનનો આભાર છે કે આપણે સુરક્ષિત છીએ. તેઓ ભૂલી જાય છે કે આ તેમનુ ઘર, પાડોશી કે શહેરમાં પણ બની શકે છે. તેથી લોકો માટે પ્રાકૃતિક આપત્તિ માટે ઘરનો વીમો ના કરાવવો સરળ થઇ જાય છે. પ્રાકૃતિક આપત્તિઓ માટે હોમ ઇન્શ્યોરન્સ કવરના થવાની સ્થિતિમાં તમારે પુર, ભૂકંપ, વાવાઝોડુ અને વિજળી પડવા દરમિયાન સંપત્તિને થતા નુકશાનમાં એક સાથે લાખો રુપિયા ખર્ચ કરવાનો જોખમ ઉઠાવો પડી શકે છે.
જો તમે હજી સુધી ઘરનો વીમો નથી કરાવ્યુ તો તમે ઝડપથી હોમ ઇન્શ્યોરન્સ કરાવી લો કારણ કે ભૂંકપ જેવી આપત્તિ આવવા પર તમારે તમારા જીવનના પુનનિર્માણથી મુશ્કેલ કાર્યમાંથી પસાર થવુ પડી શકે છે. તેથી જ ઘરનો વીમો ખરીદવો એ હોશિયારીની વાત છે. આ રક્ષણની બાબત છે જે તમને પ્રાકૃતિક આપત્તિઓથી થતા નુકસાનથી રક્ષણ આપે છે, જેથી વીમા કંપની આવી ઘટનાઓ દરમિયાન તમને નુકસાન ભરપાઈ કરશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.