આજે ફરી એકવાર કંગનાએ સંજય રાઉત પર હુમલો કર્યો છે. તેણે પોતાને મરાઠી ગણાવી હતી. તેની ટ્વિટમાં તેને લખ્યું હતું કે ,''મહારાષ્ટ્ર કોઈના બાપનું નથી, મહારાષ્ટ્ર તેનું હોય જેને મરાઠી ગૌરવને સ્થાપિત કર્યું હોય અને હું ડંકાની ચોટ પર કહું છું કે હું મરાઠા છું, ઉખાડો મારુ શું ઉખાડી લેશો?''
કંગનાએ ફરી સાધ્યું સંજય રાઉત પર નિશાન
એક પછી એક ટ્વિટ કરીને કર્યા આકરા પ્રહાર
નામ લીધા વિના સંજયને ગણાવ્યા મહારાષ્ટ્રના ઠેકેદાર
જ્યારથી કંગના રાણાવતે મુંબઈની તુલના POK સાથે કરી છે, ત્યારથી ટ્રોલ થઈ રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતની સાથે વિવાદ થયા પછી આખી શિવસેના પણ કંગનાની પાછળ પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ હાલ કંગનાના હાવભાવ જોતાં તે આ મામલે પીછેહઠ કરવાના મૂડમાં લાગી રહી નથી.
किसी के बाप का नहीं है महाराष्ट्र, महाराष्ट्र उसी का है जिसने मराठी गौरव को प्रतिष्ठित किया है। और मैं डंके की चोट पे कहती हूँ हॉ मैं मराठा हूँ ,उखाड़ो मेरा क्या उखाड़ोगे? pic.twitter.com/MVvyiXiLzc
કંગનાએ પોતાને મરાઠી ગણાવી હતી અને તેના વિરોધીઓને પડકાર પણ આપ્યો હતો, જો કે એક અન્ય ટ્વિટમાં કંગનાએ તેના વિરોધીઓને ચાપલૂસ પણ કહ્યા હતા, તેના માટે આ તે જ લોકો છે જેમણે રાની લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવતા સમયે તેનો વિરોધ કર્યો હતો.
All chaploos who are showing their love for Maharashtra must know I am the first Actor/ Director in the history of Hindi Cinema to bring Maratha Pride Shiva Ji Maharaj and Rani LaxmiBai to the big screen and I faced huge opposition during the relase from the same people 🙂 https://t.co/HMzDMcpdwQ
તેણે ટ્વિટમાં લખ્યું છે કે, "જે કોઈ પણ આ સમયે ચાપલૂસ હાલમાં મહારાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ બતાવે છે, તેઓએ યાદ રાખવું જોઈએ કે હું પહેલી એક્ટ્રેસ અને દિગ્દર્શક છું કે જેણે મરાઠા સમ્માન શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મી બાઇને મોટા પડદે લાવ્યા હતા, પરંતુ તે સમયે મારો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો."
આ ટ્વિટ થકી કંગનાએ પોતાને મરાઠી ગણવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે લોકોને ચાપલૂસ કહેવાથી એક નવો વિવાદ ઊભો થઈ શકે છે.
इनकी औक़ात नहीं है, इंडस्ट्री के सौ सालों में एक भी फ़िल्म मराठा प्राइड पे बनाई हो,मैंने इस्लाम डॉमिनेट इंडस्ट्री में अपनी जान और करीयर को दाओ पे लगाया, शिवाजी महाराज और रानी लक्ष्मीबाई पे फ़िल्म बनाई, आज महाराष्ट्र के इन ठेकेदारों से पूछो किया क्या है महाराष्ट्र केलिए ? pic.twitter.com/o9kk5OpSba
આટલું જ નહીં એક અન્ય ટ્વિટમાં કંગનાએ સીધું જ સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું, તેના ટ્વિટમાં એ મતલબની વાત કરી હતી કે કોણ મહારાષ્ટ્રનો ઠેકેદાર છે જેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મરાઠા સમ્માનના પ્રતીકો પર ફિલ્મ બનાવી હોય? કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇસ્લામ ડોમિનેટેડ ઈન્ડસ્ટ્રી ગણાવી હતી અને કહ્યું હતું કે તેણે આ કામ કરીને પોતાના કરિયર અને જીવને જોખમમાં મૂક્યો હતો. ત્યારે આ મહારાષ્ટ્રના ઠેકેદારોને પૂછો કે તેમણે મહારાષ્ટ્ર માટે શું કર્યું?
જો કે આ ટ્વીટ્સમ તેણે કોઈ પણ નેતા કે વ્યક્તિના નામ લીધા નહોતા, કંગનાના બધા પ્રહાર પરોક્ષ રૂપના હતા.