જો તેમની બેંક ડૂબી જાય કે નાદાર જાહેર થાય તો આ સ્થિતિમાં તમારા પૈસાનું શું થશે? આજો તમારા મનમાં પણ આ વિચાર આવ્યો છે તો આ સમાચાર તમારા કામના છે.
બેંક નાદાર જાહેર થાય તો થાપણોનું શું થશે?
જમા રાશિ પર પાંચ લાખ રૂપિયાની ગેરેન્ટી મળી રહે છે
ખાતાધારકોને પૈસા પાછા આપવાની જવાબદારી DICGCની છે
હાલમાં જ અમેરિકાની સિલિકોન બેંક નાદાર થઈ ગઈ અને યુએસ ઈતિહાસમાં તે બીજી સૌથી મોટી બેંક નિષ્ફળતા હતી. જણાવી દઈએ કે આ ઘટનાના બીજા જ દિવસે સિગ્નેચર બેંક પણ ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે. સિલિકોન વેલી બેંકના નાદાર થવાને કારણે રોકાણકારોને રૂ 38 લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું અને આ બેંકની નાદારીથી 21 ભારતીય કંપનીઓને પણ સીધી અસર થઈ હતી.
આ સમાચાર સામે આવ્યા બાદ દેશના અનેક બેંક ખાતાધારકોના મનમાં આ સવાલ ઉઠ્યો હશે કે જો તેમની બેંક ડૂબી જાય કે નાદાર જાહેર થાય તો આ સ્થિતિમાં તેમની થાપણોનું શું થશે? આ સ્થિતિમાં તમારા પૈસાનું શું થશે? આજો તમારા મનમાં પણ આ વિચાર આવ્યો છે તો આ સમાચાર તમારા કામના છે.
નિયમો અનુસાર બેંક નાદાર જાહેર થાય કે ડૂબી જાય તો જમા રાશિ પર તમને પાંચ લાખ રૂપિયાની ગેરેન્ટી મળી રહે છે. પહેલા બેકમાં જમા રાશિ પર એક લાખ રૂપિયાની ગેરંટી મળતી હતી.
આ પછી વર્ષ 2020 માં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં ફેરફાર કર્યો હતો અને કેન્દ્ર સરકારે બેંક ડિપોઝિટ ગેરંટી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી હતી.
એવામાં જો તમારી બેંક ડિફોલ્ટ થાય છે તો જમા રાશિના આ સ્થિતિમાં તમને 5 લાખ રૂપિયા પાછા મળે છે. જો કે નિષ્ણાતો માને છે કે જે બેંક મુશ્કેલીમાં આવે છે તેને સરકાર ડિફોલ્ટ થવા દેતી નથી. આ સ્થિતિમાં સરકાર તે બેંકને મોટી બેંક સાથે મર્જ કરે છે. નિયમો અનુસાર જો કોઈ બેંક ડૂબી જાય છે તો આ સ્થિતિમાં ખાતાધારકોને પૈસા પાછા આપવાની જવાબદારી DICGCની છે.