નાના બાળકોની ઈમ્યૂનિટી સિસ્ટમનો સંપૂર્ણ રીતે વિકાસ થયો ન હોવાને કારણે તેમને શરદી, ખાંસી, કફ જેવી સમસ્યાઓ તરત થઈ જાય છે. સિઝનમાં ફેરફાર અથવા બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન માંએ કંઈ ઠંડુ ખાઈ લીધું હોય એવા ઘણાં કારણોથી શિશુને આવી સમસ્યાઓ થતી હોય છે. જેના માટે ઘણાં લોકો ઘરેલૂ નુસખાઓ અપનાવે છે. નવજાત બાળકોને શરદી થવા પર ઘણાં લોકો મધ ચંટાડે છે. પણ ડોક્ટર આવું કરવાની ના પાડે છે. તો શું શિશુને કફ અને શરદીમાં મધ આપી શકાય કે નહીં? ચાલો જાણીએ.
શરદી, ખાંસી, કફ જેવી સમસ્યાઓ બાળકોને જલ્દી થાય છે
જેના માટે ઘણાં લોકો ઘરેલૂ નુસખાઓ અપનાવે છે
નવજાત બાળકોને શરદી થવા પર ન કરવું આ કામ
કફ દૂર કરવા માટે મધ એક પારંપરિક નુસખો છે
કફ દૂર કરવા માટે મધ એક પારંપરિક નુસખો છે પણ નાના બાળકોને આ નુસખાથી ફાયદો થશે કે નુકસાન તે વિચારવાની જરૂર છે. કોઈપણ વસ્તુ નાના બાળકને એટલે ન આપી શકાય કે તે જડીબૂટ્ટી કે ઘરેલૂ ઉપાય છે. બાળક પર દરેક વસ્તુની અસર થાય છે. જેથી બાળકને કંઈપણ ખવડાવતા પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. એવી જ રીતે મધથી પણ બાળકને એલર્જી થઈ શકે છે.
6 મહિનાથી નાના બાળકને મધ ન આપવું
6 મહિનાથી નાના બાળકને મધ આપવું નહીં. જ્યારે તમે 6 મહિનાથી 1 વર્ષની ઉંમરના બાળકને બેબી ફૂડ આપવાનું શરૂ કરો ત્યારે શરદી અને કફની સમસ્યામાં બાળકને મધ આપી શકો છો. પણ મધની માત્રા અને ગુણવત્તાનું ચોકસાઈથી ધ્યાન રાખવું જરૂરી છે.
મધમાં એન્ટીઈન્ફેક્ટિવ ગુણ હોય છે
મધમાં એન્ટીઈન્ફેક્ટિવ ગુણ પણ હોય છે. જેનાથી બાળકને ઘણો ફાયદો થાય છે. મધમાં ઘણાં ગુણ હોવા છતાં તેમાં ઘણીવાર બેક્ટેરિયા પણ હોય છે. જેને ક્લોસટ્રિડિયમ બોટુલિનમ કહેવાય છે. જે એક ખાસ પ્રકારના ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બને છે. જોકે મોટાં લોકો પર તેની ખાસ કોઈ અસર થતી નથી, કેમ કે, તેમનું પાચનતંત્ર ઘણું મજબૂત હોય છે પણ નાના બાળકોને તે નુકસાન કરી શકે છે. રૉ મધ ભલે સ્વાસ્થ્યવર્ધક હોય પણ 6 મહિનાથી નાના બાળકો પર તેની ખરાબ અસર થઈ શકે છે. જેથી 6 મહિનાથી નાના બાળક પર ઘરેલૂ નુસખા અપનાવ્યા કરતાં પીડિયાટ્રિશનનો સંપર્ક કરવો.