વાવાઝોડા બાદ ગીરના જંગલોમાં સિંહોની ગણતરી કરવામાં આવશે
તૌકતેના કારણે રાજ્યભરમાં ભારે પવન અને વરસાદ
ગીરના જંગલોમાં સિંહોનું શું?
વનવિભાગે કરી પ્રાથના કરવાની અપીલ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડુ તબાહી મચાવી ચુક્યું છે. તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાઠે ત્રાટકતા જ રાજ્યભરમાં ભારે પવનની સાથે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. આપણે તો વાવાઝોડાના કારણે ઘરમાં જ રહીને પોતાનું રક્ષણ કરી શકીએ છીએ.
વન વિભાગ દ્વારા સલામત સ્થળોએ જવાની સલાહ
પરંતુ છત વગર ખુલ્લા આકાશ નીચે રહેતા પશુઓએ પોતાની જાતને કઈ રીતે સુરક્ષિત રાખ્યા હશે? વાવઝોડાએ ગીર જંગલમાં પણ ઘમાસાણ મચાવ્યું છે. આવા સમયમાં વનવિભાગ દ્વારા સાવજો માટે પ્રાથના કરવા જણાવ્યું છે. વન વિભાગ દ્વારા તૌકતેને ધ્યાનમાં રાખીને સલામત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે સિંહ માટે સ્થાન ચિન્હ કર્યું છે.
સૌરાષ્ટ્રના 674 સિંહો પૈકી 350 કાંઠાના વિસ્તારમાં રહે છે
સાવજોના સ્થાનની માહિતી આપતા વનવિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના 674 સિંહો પૈકી 350 કાંઠાના વિસ્તારમાં અમરેલી અને ભાવનગરમાં રહે છે. બાકીના અભયારણ્ય વિસ્તારમાં છે. દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં કેટલાક પેચોમાં આશરે 40 સિંહો રહે છે. અને અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ. તેમાંથી પહેલાથી જ અમુક સિંહો ઉંચાઈ વાળા સ્થળો પર રહે છે.