આઈરાએ પોતાની માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ખુલીને વાત કરી
આમિર ખાનની દીકરી આઈરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેના તેના ડિપ્રેશન વિશે ખુલીને વાત કરી રહી છે. હવે એક વીડિયો પોસ્ટ કરીને તેણે કહ્યું કે તાજેતરમાં જ તેની દવા બદવલાવમાં આવી હતી. ત્યારબાદ તેની તબિયત સારી નથી. તેઓ ખૂબ ગુસ્સે થાય છે. અને આ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સમજી શકતા નથી. આયરા કહે છે કે, તે સામાન્ય રીતે ગુસ્સે થતી નથી આ અંગે તેમણે તેમના મનોચિકિત્સક સાથે પણ વાત કરી હતી.
તેણે જણાવ્યું કે, જ્યારે ગુસ્સો થાય છે ત્યારે શરમ આવે છે
10 મિનિટના વીડિયોમાં એરાએ તેના ચાહકોને સ્વાસ્થય વિશે માહિતી આપી છે. તેણે કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ગુસ્સે છે. આ સામાન્ય રીતે તેમની સાથે થતું નથી. કેટલીકવાર તેઓ શરમ અનુભવે છે કે, કારણે કે, તેઓ તેમના ગુસ્સાનો સામનો કેવી રીતે કરવો તે જાણતા નથી. તેમના મોચિકિત્સક માને છે કે, ગુસ્સાનો સંબંધ દવાઓ બદલવાની આડઅસર નથી
ગુસ્સો આવે ત્યારે કોઈ કામ કરવાની સ્થિતિમાં નથી હોતી
આઈરાએ આગળ કહ્યું કે, શુક્રવારે તે ડ્રાઈવિંગ કર્યા પછી ઘરે જઈ રહી હતી. પરંતુ તે આવું કરી શકી નહીં પછી તે ફૂટબોલ રમવા ગઈ પરંતુ તે પણ રમી ન શકાયું. તે ડ્રાઈવિંગ કરી રહી હતી જ્યારે તેને ખબર પડી કે, તે ગુસ્સે છે અને પોતે વાહન ચલાવવાની સ્થિતિમાં નથી. તેણે તેને લેવા માટે કોઈને બોલાવ્યો. તે આગાળ કહે છે કે, મે વિચાર્યું કે, આવી સ્થિતિમાં મશીનને નિયંત્રિત કરવું યોગ્ય નથી, તેથી મેં કારને રસ્તાની બાજુમાં પાર્ક કરી અને પછી કોઈ મને લેવા માટે આવ્યું હતું. હું માત્ર રડતી રહી
ડિપ્રેશન પર કર્યો હતો ખુલાસો
ઓક્ટોબર 2020માં આયરા ખાને ડિપ્રેશન જાહેર કરતી વખતે કહ્યું કે, હું ડિપ્રેશનમાં છું હું લગભગ 4 વર્ષથી ડિપ્રેશનમાં છું.હું ડોક્ટર પાસે સારવાર માટે ગઈ હતી. પણ હવે હું સારું અનુભવું છું. એક વર્ષથી હું માનસિક સ્વાસ્થ્ય પર કંઈક કરવા માંગતી હતી પણ શું કરવું તેની મને સમજ નહોતી.