2 ઓક્ટોબર 'જય જવાન જય કિશાન'નો નારો આપનાર દેશનાં બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી તરીકે મનાવવામાં આવે છે. તેમના જીવનનાં પ્રસંગો તેમના ઉત્તમ વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે. એવા જ કેટલાક રોચક પ્રસંગોમાંનો એક પ્રસંગ એવો છે કે શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તરીકે એક સમજુતી પર હસ્તાક્ષર કરતા તેમના પત્ની નારાજ થયા હતા. પત્ની તેમની સામે નારજગી વ્યક્ત કરી તેમની સાથે અબોલા લીધા હતા. એવું તો શું કર્યુ હતું શાસ્ત્રીજીએ....
પ્રધાનમંત્રી શાસ્ત્રીજીએ લોન પર કાર ખરીદી હતી
શાસ્ત્રીજીના નિધન બાદ તેમના પત્નીએ પેન્શનથી કારની લોન ચુકવી
કેમ શાસ્ત્રીજીએ પૈસા પાછા આપ્યા
તે સમયે લાલા લાજપતરાયએ સર્વંટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે આઝાદીની લડાઇ લડી રહેલા ગરીબ નેતાઓને આર્થિક મદદ આપતી હતી. સોસાયટી શાસ્ત્રીજીને પણ ઘર ખર્ચ માટે દર મહિને રુ 50 આપતી હતી. તેમણે જેલમાંથી પત્ની લલિતાને પત્ર લખીને પુછ્યું કે શું સોસાયટી તરફથી મળી રહેલા રૂ. 50 ઘર ખર્ચ માટે પુરતા છે? જવાબમાં લલિતાજીએ કહ્યું રૂ. 40માં જ ઘરનું ગુજરાન ચાલી જાય છે. એ બાદ શાસ્ત્રીજીએ સોસાયટીને પત્ર લખી કહ્યું કે મારા પરિવારનું ગુજરાન રૂ. 40માં થઇ જાય છે. આથી મારી આર્થિક મદદ રૂ. 40 કરી દેવામાં આવે.
આ પ્રધાનમંત્રીએ લોન પર કાર લીધી હતી
શાસ્ત્રીજીના દિકરા સુનિલ શાસ્ત્રીએ પુસ્તક 'લાલ બહાદુર શાસ્ત્રી, મેરે બાબુજી'માં એક રસપ્રદ પ્રસંગમાં કહ્યું હતું કે શાસ્ત્રીજી સરકારી ખર્ચ પર મળેલી કાર વાપરતા નહોતા. એકવાર સુનિલ શાસ્ત્રી તેમના પિતાની કાર ચલાવી હતી. ત્યારે તેમણે કિલોમીટરના હિસાબે પૈસા ગણીને સરકારી ખાતામાં જમાં કરાવી દીધા હતા. એક પ્રસંગ એવો પણ છે કે શાસ્ત્રીજી પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી તેમની પાસે ના તો ઘર હતું ના તો કાર. જોકે તેમના બાળકોએ કહ્યું કે તમને પ્રધાનમંત્રી છો તમારી પાસે કાર હોવી જોઇએ. તે સમયે ફિયાટ કારની કિંમત 12 હજાર રુપિયા હતી. શાસ્ત્રીજી ના ખાતામાં માત્ર 7 હજાર હતા. જેથી તેમને પીએનબીમાંથી 5 હજારની લોન લઇ કાર ખરીદી હતી.
શાસ્ત્રીજીની પત્ની પણ સ્વાભિમાની હતા
એવું કહેવાય છે કે કારની લોન બાકી હતી અને શાસ્ત્રીજીનું નિધન થયું હતું. તે સમય દરમિયાન ઇન્દિરાગાંધીએ તેમની લોન માફ કરવાની વાત કરી હતી. જોકે શાસ્ત્રીજીની પત્ની લલિતાએ તેનો અસ્વીકાર કરી. લલિતાજીને મળેલા પેંશનના પૈસાથી લોનના પૈસા ચુકવ્યા હતા. એ કાર આજે પણ દિલ્હી લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ હોલમાં રાખવામાં આવી છે.
કેમ પત્ની નારાજ થયા હતા
પત્રકાર કુલદીપ નાયર શાસ્ત્રીજીના પ્રેસ સચિવ હતા. એક જાણીતો પ્રસંગ કુલદીપ નાયરે સભામાં વાગોળ્યો હતો. વર્ષ 1966માં ભારત- પાક. વચ્ચેના સમજુતી કરાર પર પ્રધાનમંત્રી શાસ્ત્રીજીએ હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતી હેઠળ હાજી પીર અને ઠિથવાલ પાકિસ્તાનને પાછો આપવામાં આવ્યો હતો. શાસ્ત્રીજીના આ નિર્ણયની દેશભરમાં ટીકા થઇ હતી. તેમની પત્ની લલિતા શાસ્ત્રીજી પણ તેમનાથી નારાજ હતા. શાસ્ત્રીજીએ દિલ્હી સ્થિત તેમના ઘરે મોડી રાતે ફોન કર્યો હતો. જે તેમની દીકરીએ ઉઠાવ્યો હતો. શાસ્ત્રીજીએ દીકરીને કહ્યું, તારી મમ્મી સાથે વાત કરાવ. દીકરીએ જવાબ આપ્યો કે તમે આપણે જીતેલો હિસ્સો પાકિસ્તાનને આપી દીધો છે. જેથી અમ્મા નારાજ છે. તે તમારી સાથે વાત નહી કરે.