આ સૂત્રોચ્ચારનો મમતા બેનર્જીએ જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે મને લાગે છે કે સરકારના કાર્યક્રમમાં થોડી ગરિમા જળવાવી જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.
ચાલુ કાર્યક્રમમાં રોષે ભરાયા મમતા
PMની હાજરીમાં જ આવ્યો ગુસ્સો
સુભાષચંદ્ર બોસની જયંતિના અવસર પર હતો કાર્યક્રમ
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં અમુક લોકોએ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્ટેજ પર સંબોધન શરૂ કરતા અમુક લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. મહત્વનું છે કે આ સૂત્રોચ્ચારને કારણે મમતા બેનર્જીએ આગળ બોલવાની ના પાડી દીધી હતી. આ સાથે જ તેમણે ભીડ ઉપર પણ ખાસ પાર્ટીની હોવાનો આરોપ લગાવ્યો છે.
#WATCH | I think Govt's program should have dignity. This is not a political program....It doesn't suit you to insult someone after inviting them. As a protest, I won't speak anything: WB CM Mamata Banerjee after 'Jai Shree Ram' slogans were raised when she was invited to speak pic.twitter.com/pBvVrlrrbb
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
સીએમ મમતા બેનર્જીએ આ સૂત્રોચ્ચારનો જોરદાર વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે સરકારના કાર્યક્રમમાં થોડી ગરિમા હોવી જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. તેમણે કહ્યું કે કોઈને આમંત્રણ આપ્યા બાદ તેનું અપમાન કરવું યોગ્ય નથી. આ સાથે તેમણે કાર્યક્રમમાં કંઇપણ બોલવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે હું વિરોધ તરીકે કંઈપણ બોલીશ નહીં.
નોંધનિય છે કે મમતા બેનર્જીએ પીએમ મોદીની સામે જ નારાજગી વ્યક્ત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન, ઘણા કલાકારોએ તેમની પ્રસ્તુતિ આપઇ હતી. તે જ સમયે, પીએમ મોદીએ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો છે. શનિવારે સુભાષચંદ્ર બોસની જન્મજયંતિ નિમિત્તે કોલકાતામાં 7 કિમી લાંબી રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.
તેમણે કહ્યું, 'અમે ફક્ત તે વર્ષોમાં નેતાજીનો જન્મદિવસ ઉજવતા નથી, જ્યારે ચૂંટણીઓ યોજાવાની હોય. અમે તેમની 125 મી જન્મજયંતિ ભવ્યતાથી ઉજવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નેતાજી દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. તે મહાન દાર્શનિક હતા. મમતા બેનર્જીએ ટ્વીટ દ્વારા બોસ અને તેમના આઝાદ હિન્દ ફૌજના નામે અનેક વિકાસ કાર્યોની પણ જાહેરાત કરી છે.