આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડે જમ્મુ કશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ થયા બાદ હત્યા અને ઉત્તર પ્રદેશના ઉન્નાવની બળાત્કારની ઘટનાને બિભત્સ ગણાવી છે.
સાથે જ તેઓએ આશા વ્યક્ત કરી હતી કે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સહિત તમામ ભારતીય પદાધિકારીઓ આ ઘટના પર ધ્યાન આપે. કારણ કે ભારતમાં મહિલાઓ માટે આ જરૂરી છે.
લગાર્ડે કહ્યું કે જ્યારે હું દાઓસમાં હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ બાદ મેં તેમને કહ્યું હતું કે તેઓએ ભારતની મહિલાઓનો પૂરતો ઉલ્લેખ કર્યો નથી. સવાલ ફક્ત તેમના વિશે વાતો કરવાનો નથી. IMF જ નહીં પણ આ મારી પર્સનલ સલાહ છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ રેપની ઘટના બાદ ન્યાય આપવાની વાત કરતા કહ્યું હતું કે ભારતની દિકરીઓને નયાય મળશે.