શું કોઈના મોત બાદ તેના PAN અને Aadhaar Card બેકાર થઈ જાય છે?
વ્યક્તિના મોત બાદ આધાર-પાન કાર્ડનું શું?
કઈ રીતે કરશો ડિએક્ટીવેટ?
જાણો શું છે નિયમો?
PAN Card ભારતમાં જરૂરી દસ્તાવેજ છે. PAN Card, આધાર કાર્ડ આપણા જીવનના ખૂબ જ મહત્વના ડોક્યુમેન્ટ્સ છે. જેવા વગર તમે કોઈ કામ નથી કરી શકતો. બેન્કમાં એક ખાતુ ખોલાવવાથી લઈને મોટા વ્યાપાર માટે આ બે ડોક્યુમેન્ટ્સ ખૂબ જરૂરી હોય છે. જીવતા આ ડોક્યુમેન્ટ્સવી જરૂર પડે જ છે પરંતુ મર્યા બાદ પણ તેના સાથે જોડાયેલી ફોર્માલિટી પુરી કરવી ખૂબ જ જરૂરી છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈના મૃત્યુ બાદ PAN Card અને આધાર કાર્ડનું શું થાય છે? જો નહીં તો અમે તમને જણાવીએ કે કોઈના મોત બાદ તેમના PAN Card અને Aadhaar Card જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સની સાથે શું કરવું જોઈએ.
મૃત્યુ બાદ PAN Cardનું શું કરવું જોઈએ
બેન્ક એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ અને ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે પાન કાર્ડ સૌથી વધારે જરૂરી ડોક્યુમેન્ટ છે. માટે આ પ્રકારના દરેક એકાઉન્ટ્સ જ્યાં પાન કાર્ડ જરૂરી છે તેને ત્યાં સુધી સંભાળીને રાખવા જોઈએ જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે બંધ ન થઈ જાય. આ રીતે જો તમે ITR દાખલ કરતી વખતે પાન કાર્ડ ત્યાં સુધી રાખવું જોઈએ જ્યાં સુધી ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાથી લઈને IT ડિપાર્ટમેન્ટની પ્રક્રિયા પુરી ન થઈ જાય.
PAN Card સરેન્ડર પહેલાની જરૂરી વાત
યાદ રાખો કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની પાસે એ અધિકાર હોય છે કે તે ચાર વર્ષના આસેસમેન્ટને ફરી ખોલી શકે છે. એવામાં જો મૃતકને કોઈ પણ ટેક્સ રિફંડ બાકી છે તો તે વાતને સુનિશ્ચિત કરી લો કે તે તેના ખાતામાં ક્રેડિટ થઈ ગયા હોય અથવા ખાતામાં રિફંડ આવી ગયું હોય. એક વખત ખાતુ બંધ કરવા, આવક રિટર્ન વગેરે સાથે જોડાયેલી મામલા પુરા થઈ જાય ત્યાર બાદ કાયદાકીય ઉત્તરાધિકારી મૃતકના PAN Cardને આવકવેરા વિભાગને સોંપી શકે છે. સરેન્ડર કર્યા પહેલા મૃતકના દરેક ખાતા કોઈ પણ બીજા વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી દેવા જોઈએ અથવા બંધ કરી દેવા જોઈએ.
PAN Cardને સરેન્ડર કઈ રીતે કરશો?
PAN Cardને સરેન્ડર કરવા માટે મૃતકને પ્રતિનિધિ અથવા તેના કાયદાકીય ઉત્તરાધિકારીને તેના અસેસમેન્ટ ઓફિસરને એક એપ્લીકેશન લખવાની હોય છે. જેના અધિકાર ક્ષેત્રમાં પાન કાર્ડ રજીસ્ટર્ડ છે. એપ્લીકેશનમાં આ વાતનો ઉલ્લેખ હોવો જોઈએ કે PAN Card કેમ સરેન્ડર કરવામાં આવી રહ્યું છે. તેમાં નામ, PAN Card નંબર, મૃતકની જન્મતિથિ અને મૃતકના ડેથ સર્ટિફિકેટની કોપી પણ અટેચ હોવી જોઈએ. જોકે મૃતક પાન કાર્ડને સરેન્ડર કરાવવું જરૂરી નથી. જો તમને એવું લાગે છે કે આ ભવિષ્યમાં તમારા કામમાં આવી શકે છે અથવા તમને તેની જરૂર પડી શકે છે.
મૃતકના Aadhaar Cardનું શું કરશો?
Aadhaar Card એક ઓળખ પત્ર અને એડ્રેસ પ્રૂફની રીતે જરૂરી ડોક્યુમેન્ટ છે. LPG ગેસ સબ્સિડી, સ્કોરશિપ બેનેફિટ્સ અને બીજી તમામ સરકારી સ્કીમનો ફાયદો લેવા માટે આધાર કાર્ડ જરૂરી હોય છે. આધાર એક યુનીક નંબર હોય છે. માટે મૃત્યુ બાદ પણ આ નંબર હાજર રહે છે. કોઈ બીજાને આ નથી આપી શકાતો.
મૃત્યુ બાદ આધારનું શું થાય છે. તેને નષ્ટ અથવા ડીએક્ટિવેટ કરવામાં આવી શકે છે. આ સવાલના જવાબમાં સરકારે પોતે સંસદમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેનું આધાર ડિએક્ટિવેટ ન થઈ શકે. કારણ કે એવી કોઈ જોગવાઈ નથી. એટલે કે હાલ કોઈ મૃત વ્યક્તિના આધાર નંબરને કેન્સલ કરવાની કોઈ વ્યવસ્થા નથી. રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન અધિનિયમ, 1969માં સંશોધન માટે UIDAI પાસે સુચનો માંગ્યા હતા. જેથી મૃત્યુ પ્રમાણ પત્ર જાહેર કરતી વખતે મૃતકનું આધાર લઈ શકાય.
Aadhaar Cardને ડેથ સર્ટિફિકેટથી કરો લિંક
હાલમાં જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રાર જન્મ અને મૃત્યુના આંકડાના કસ્ટોડિયન અથવા સંરક્ષક છે. આધારને ડિએક્ટિવેટ કરવા માટે રજીસ્ટ્રાર પાસેથી મૃત વ્યક્તિનો Aadhaar Card નંબર લેવાનો હાલ કોઈ મેકેનિઝ્મ નથી. પરંતુ એક વખત ઘણા સંસ્થાઓ વચ્ચે આધાર નંબર શેર કરવાના ફ્રેમવર્ક તૈયાર થયા બાદ રજીસ્ટ્રાર મૃતકના આધાર નંબરને નિષ્ક્રિય કરવા માટે UIDAIની સાથે શેર કરવાનું શરૂ કરી દેશે. આધારને ડીએક્ટિવેટ કરવા અથવા તેના ડેથ સર્ટિફિકેટથી લિંક કરવાથી આધાર માલિકના મોત બાદ તેનો ખોટો ઉપયોગ નહીં થાય.