પાકિસ્તાનમાં ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ દેશમાં રાજકીય માહોલ ડામાડોળ થઈ ગયો છે, ત્યારે આવા સમયે ઈમરાન સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ડામાડોળ
ગમે ત્યારે પડી શકે છે ઈમરાન સરકાર
આ નેતાને વડાપ્રધાન બનાવી શકે છે
પાકિસ્તાનમાં ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ દેશમાં રાજકીય માહોલ ડામાડોળ થઈ ગયો છે, ત્યારે આવા સમયે ઈમરાન સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈમરાન સરકાર જો પડી જાય તો, અને PML(N) અથવા PPPની આગેવાનીવાળી સરકાર બને છે, તો જોવાનું એ રહેશે કે, કમ સે કમ આ સરકારોમાં ભારત સાથે સંબંધો આગળ વધારવામાં કેવા પગલા લઈ શકે છે. ઈમરાન ન ફક્ત હાલના પ્રધાનમંત્રી મોદી પર પર્સનલ અટેક કર્યા પણ હાલમાં જ ભારત સાથેના ટ્રેડને ફરી શરૂ કરવાના નિર્ણયને પણ ફેરવીતોળ્યો છે.
ઈમરાન ખાનને હટાવવાનો તખ્તો ઘડાઈ ચુક્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં એક શક્યતા એવી પણ છે કે, ખુદ PTIના કેટલાય MNAs અને સહયોગી પાર્ટીઓ નારાજગી વર્તાવતા PTIમાં જ ઈમરાનની જગ્યાએ કોઈ અન્યને પ્રધાનમંત્રી બનાવાનો વિચાર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એ પણ વિકલ્પ છે, જેના પર વિચાર હાલામં ચાલી રહ્યો છે. પણ ઈમરાન ખાન સરળતાથી આ બાબતે રાજી થશે નહીં. પીએમએલ-એન અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી લગભગ 100 સાંસદોએ આઠ માર્ચના રોજ નેશનલ એસેંબલી સચિવાલય સમક્ષ એક અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં આરોપ લગાવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન તહરીકે ઈંસાફ ખાનના નેતૃત્વવાળી સરકાર દેશમાં હાલની આર્થિક સંકટ સ્થિતિ અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે. અવિશ્વાસ પ્રસ્તાવને ધ્યાને રાખીને નેશનલ અસેંબલીનું સત્ર 21 માર્ચે બોલાવાની આશા છે અને પ્રસ્તાવ પર મતદાન 28 માર્ચે થવાની શક્યતા છે.
સૈન્ય સ્થિતી અને મોંઘવારી માટે ઈમરાન ખાન જવાબદાર
તો વળી પાકિસ્તાનની સંસદમાં વિપક્ષના નેતા શહબાઝ શરીફે કહ્યું કે, શક્તિશાળી સૈન્ય પ્રતિષ્ઠાન દેશમાં ન તો હાલની રાજકીય સંકટમાં કોઈ પક્ષ લઈ રહ્યું છે અને ન તો પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવનો પક્ષ લઈ રહ્યા છે. એક ટીવી શોમાં શુક્રવારે શરીફે સેનાની સાથેના પોતાના સંબંધો, નવા સેના પ્રમુખની નિમણૂંક, ચૂંટણી સુધાર અને હાલની રાજકીય સ્થિતિમાં સેનાની ભૂમિકા સહિત કેટલાય મુદ્દા પર ખુલ્લીને વાત કરી હતી.
આ નેતાને બનાવા માગે છે વડાપ્રધાન
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના અધ્યક્ષ અને ત્રણ વખતના પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ શહબાઝ શરીફે કહ્યું કે, વિપક્ષી દળ તેમને વચ્ચગાળાના પ્રધાનમંત્રી બનાવા માગે છે. પણ અંતિમ નિર્ણય પીએમએલએન પ્રમુખ નવાઝ શરીફ દ્વારા લેવામાં આવશે. શરીફે હાલના સમયમાં સૈન્ય પ્રતિષ્ઠઆનની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું, જેના પર તેમણે કહ્યું કે, વિપક્ષી સભ્યો અત્યાર સુધીમાં કોઈનો ફોન આવ્યો નથી.
સેના પ્રમુખને લઈને વિપક્ષનું વલણ
તો વળી પ્રધાનમંત્રીએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે, માણસ પક્ષ લે છે, ફક્ત જાનવર તટસ્થ હોય છે. શાહબાઝે કહ્યું કે, દેશમાં તમામ સેના પ્રમુખો સાથે તેમને હંમેશા સારા સંબંધો રહ્યા છે, કારણ કે, તેમને રાવલપિંડી અને ઈસ્લામાહબાદની વચ્ચે એક સેતુનું કામ કકર્યું છે. આગામી સેના પ્રમુખની નિમણૂંક વિશે એક સવાલના જવાબમાં શહબાઝે કહ્યું કે, હજૂ તેમા સમય છે અને સમય આવતા રાષ્ટ્રહિતમાં તેના પર વિચાર કરવામા આવશે. હાલની સેના પ્રમુખ કમર જાવેદ બાઝવાનો કાર્યકાળ નવેમ્બરમાં ખતમ થવાનો છે.