ભારતમાં દર વર્ષે IPL એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે. ત્યારે દુનિયાભરના ટોચના ખેલાડીઓ આ લીગનો હિસ્સો બનવા ભારતમાં આવે છે. 29 માર્ચથી શરૂ થનાર આઇપીએલ આ વર્ષે કોરોનાના કારણે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. કોરોનાના ડર વચ્ચે આ ટુર્નામેન્ટનું આયોજન આસાન નથી. તો તેના માટે નવા નિયમો પણ બન્યા છે.
આઇપીએલમાં હશે નવા નિયમો
ખેલાડીને કોરોના થાય તો શું ?
નિયમો દ્વારા રમાશે IPL
નવા નિયમ મુજબ જો કોઇ ખેલાડીને કોવિડ પોઝીટીવ આવે છે તો તે ખેલાડી માટે લીગ કે સિઝનનો અંત નહી હોય. જો ખેલાડી એસિમ્પ્ટોમેટિક હશે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 2 અઠવાડિયા પછી તેના 2 વાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જો બંનેમાં તે નેગેટિવ આવશે તો તેને ટીમમાં ફરી લેવામાં આવશે.
જો ખેલાડીને હલ્કા લક્ષણ દેખાશે તો બાયો સેક્યુર બબલથી બે અઠવાડિયા સુધી બહાર રહેવું પડશે. બાદમાં કાર્ડિયાક સ્ક્રિનિંગ બાદ પરત ફરી શકે છે.
આઈપીએલ માટે બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા એસઓપીનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, આ નિયમો અનુસાર, ટીમો 20 ઓગસ્ટ પછી યુએઈ જવાનું શરૂ કરશે અને 23 ઓગસ્ટ સુધીમાં ત્યાં પહોંચી જશે. મોટાભાગની ટીમ વિદેશી ખેલાડીઓ ધરાવે છે. તેઓ સીધા યુએઈમાં તેમની ટીમો સાથે જોડાશે.જો કે, ભારતીય ખેલાડીઓની જેમ તેમને પણ બે વાર તેમની કોવિડ -19 ટેસ્ટ કરાવી યુએઈમાં આવવા દેવામાં આવશે.