કોરોના વાયરસથી બચવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જરુરી છે .તે માટે ખોરાક એવો ખાવો જોઇએ કે શરીરને તમામ પોષકતત્વો મળી રહે
કોરોનાથી બચવાના ઉપાયો
હેલ્થી ડાયટ કરો ફોલો
ઇમ્યુનિટી વધશે અને રોગો દૂર ભાગશે
કોરોનાથી બચવા માટે શું કરવું. માસ્ક પહેરવામાં આવે તે જરુરી છે. ઇમ્યુનિટી સારી હોય તે પણ જરુરી છે. પરંતુ ઇમ્યુનિટી વધશે કેવી રીતે. વેક્સિન આપણે કોરોના સામે રક્ષણ આપે છે પરંતુ આપણે ડાયટ જ એવુ લેવુ જોઇએ કે ઇમ્યુનિટીમાં વધારો થાય. કોરોનાની કોઇ ખાસ દવા નથી. કોરોના થાય ત્યારે ડોક્ટર આપણને પેરાસિટામોલ અને કેટલીક વિટામિન ટેબલેટ આપે છે. પરંતુ જો તમે ખોરાક જ એવો લો કે વિટામિન લેવાની જરુર ન પડે. ખોરાક જ એવો લેવાનો કે કોરોના થાય જ નહી.
કેવો આહાર લેશો ?
દરેક વ્યક્તિના શરીરમાં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે તેમની જરૂરિયાત વધી ગઈ છે. નિષ્ણાતો દરેકને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર આહાર લેવાની સલાહ આપી રહ્યા છે. આજે અમે તમને આવા જ કેટલાક પોષણ વિશે પણ જણાવીશું, જેને ડાયટમાં સામેલ કરવું ખૂબ જ જરૂરી છે. આવો અમે તમને જણાવીએ કે શરીરમાં જરૂરી પોષણની ઉણપને કેવી રીતે પૂરી કરવી.
પ્રોટીનયુક્ત આહાર
પ્રોટીન શરીરના દરેક કોષ માટે જરૂરી છે જેમ કે સ્નાયુઓ, હાડકાં, હોર્મોન્સ, એન્ટિબોડીઝ બનાવવા પ્રોટીન જરુરી છે. નિષ્ણાતોના મતે, દરરોજ 0.8 થી 1 ગ્રામ/કિલો પ્રોટીન લેવું જરૂરી છે, જે સ્નાયુઓના નિર્માણમાં મદદ કરે છે. આ માટે ઈંડા, ચણા, કોટેજ ચીઝ, ક્વિનોઆ, ગ્રીક દહીં, મગફળી અને બદામ, ડેરી પ્રોડક્ટનો આહારમાં સમાવેશ કરવો જોઇએ.
ઝીંક
કોરોના થયો હોય ત્યારે આપણને ઝિંકની પણ ગોળીઓ આપવામાં આવે છે. ઝિંક રોગપ્રતિકારક કોષોને મજબૂત અને સ્વસ્થ રાખે છે. બાળપણ, કિશોરાવસ્થા અને ગર્ભાવસ્થા દરમિયાન તેની સૌથી વધુ જરૂર પડે છે. આ માટે તમે ચણા, દાળ અને કઠોળ વગેરે ખાઈ શકો છો.
DHA ઓમેગા-3
કોરોના થયા બાદ ડોક્ટર મોટા ભાગે વિટામિનની ટેબલેટ પ્રિસ્ક્રાઇબ કરે છે. તેમાં એક ટેબલેટ ઓમેગા-3ની પણ હોય છે. ઓમેગા-3 મોટાભાગે સીફૂડમાંથી મળે છે. જેમાં માછલી એ સૌથી મોટો ઓમેગા-3નો સ્ત્રોત છે. પરંતુ નોનવેજ ન ખાનારા લોકો પણ ઓમેગા-3 મેળવી શકે છે. ભરપૂર માત્રામાં લીલા શાકભાજી તથા પાદડા વાળા શાકભાજીનો ઉપયોગ કરે. આ ઉપરાંત ફ્લેક્સ સીડ્સ, ચીઆ સિડ્સ, બદામ તથા અખરોટ ખાવી જોઇએ.
કેલ્શિયમ
શરીરના લગભગ 99% કેલ્શિયમ હાડકાં અને દાંતમાં જોવા મળે છે. કેલ્શિયમ સ્નાયુઓને સંકુચિત કરવામાં મદદ કરે છે અને લોહીને પાતળું થવા દેતું નથી. તે મગજ અને જ્ઞાનતંતુઓને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. આથી ફળો જેવા કે બ્લૂબેરી, બ્લેકબેરી, સ્ટ્રોબેરી, નારંગી, કિવીમાં કેલ્શિયમ હોય છે. પાલક, શક્કરિયા, ભીંડા, કાંદા સહિત સોયાબીન, કઠોળ,દૂધ, દહી અને બ્રોકોલી ખાવા જોઇએ
સેલેનિયમ
સેલેનિયમ એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે જે કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી રક્ષણ આપે છે. દૂધ અને દહીંમાં કપ દીઠ આશરે 8 એમસીજી સેલેનિયમ હોય છે, જે તમારી દૈનિક જરૂરિયાતના 11% છે. કેળા, કાજુ, મસૂર અને પાલક આ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
કોલાઇન
કોલીન એ એક પ્રકારનું પોષક તત્વ છે. જે તમારી નર્વસ સિસ્ટમ, મેમરી, મૂડ અને મગજને નિયંત્રણ કરે છે. સગર્ભા સ્ત્રીઓને તેમના બાળકના વિકાસને ટેકો આપવા માટે વધારાની કોલિનની જરૂર હોય છે. જે માટે ઘઉંના જ્વારા, સોયાબીન, મશરુમ તથા ઇંડા, ચિકન, માછલી સહિત દૂધ, દહી, પનીર જેવા સહિત ડેરી પ્રોડક્ટ ખાવી જોઇએ.