સારાં સ્વાસ્થ્ય માટે બેલેન્સ્ડ ડાયટ અને એક્સરસાઈઝની સાથે પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. પણ ઘણાં લોકોને આ ભૂલોને કારણે ઊંઘ નથી આવતી, ચાલો જાણીએ.
એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં 7થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે
તણાવ અને કામનો ભાર આ સમસ્યા પેદા કરે છે
ખોટી આદતો પણ અનિદ્રાનો પ્રોબ્લેમ વધારે છે
એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં 7થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. પણ કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે પણ તણાવ અને કામનો ભાર ઘણી હદ સુધી આ સમસ્યા પેદા કરે છે. આ સિવાય તમારી ખાનપાનની ખોટી આદતો પણ અનિદ્રાનો પ્રોબ્લેમ વધારે છે.
બીમારીઓ વધારે છે અનિદ્રા
પૂરતી ઊંઘ ન લેવાથી બોડીમાં હોર્મોનલ ઈમ્બેલેન્સનો પ્રોબ્લેમ પેદા કરે છે. જેના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમાં ડાયાબિટીસ, બીપી, સ્થૂળતા અને હાર્ટની બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.
ભૂખથી વધારે ખાવું
રાતે મોડાં ખાવાથી બચવું જોઈએ અને રાતે 7થી 8 વાગ્યાની વચ્ચે હળવું ડિનર લેવું જોઈએ. ઓછા મસાલાવાળી દાળ, રોટલી અથવા સૂપ ડિનરમાં લો. રાતે પેટ ભરીને ખાવાની જગ્યાએ થોડું ઓછું ખાઓ, જેથી ખોરાક પચાવવામાં મુશ્કેલી ન થાય અને રાતે પ્રોપર ઊંઘ પણ આવે.
કેફીન (ચા, કોફી)
આજકાલ લોકો જ્યારે થાકીને ઘરે આવે છે ક્યારે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. તે થાક દૂર કરીને માઈન્ડ તો રિલેક્સ કરે છે પણ તેમાં રહેલું કેફીન રાતે તમારી ઊંઘને ખરાબ કરી શકે છે. તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ વધે છે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ રાતે ખાવાથી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે અને બ્રેન એક્ટિવ થઈ જાય છે. જેથી રાતે સૂતા પહેલાં ક્યારેય ડાર્ક ચોકલેટ ખાવી નહીં.
આલ્કોહોલ
ઘણાં લોકો એવું વિચારે છે કે રાતે આલ્કોહોલ પીવાથી સારી ઊંઘ આવે છે અને થાક દૂર થઈ જાય છે પણ આવું નથી. હકીકતમાં આલ્કોહોલ શરીરમાં જઈને મગજને સુન્ન કરી દે છે. જેના કારણે વ્યક્તિ ભાનમાં રહેતો નથી અને તે વિચારે છે કે સારી ઊંઘ આવે છે પણ રાતે આલ્કોહોલ લેવાથી સવારે વ્યક્તિનું માથું ભારે લાગે છે અને ફ્રેશ ફીલ થતું નથી.
ચિકન
પ્રોટીન ડાયટ લેવું સારું છે પણ વધુ પ્રમાણમાં રાતે પ્રોટીન લેવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. ચિકનમાં વધુ માત્રામાં પ્રોટીન હોય છે. જેથી સૂતા પહેલાં તેને ખાવાથી ઊંઘ પર અસર થાય છે.
મસાલેદાર ખોરાક
વધુ તીખો અને મસાલેદાર ખોરાક રાતે ખાવાથી તે બોડીનો તાપમાન વધારી દે છે. જેના કારણે રાતે સૂતી વખતે બેચેની અને એસિડિટીનો પ્રોબ્લેમ પણ વધી જાય છે જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે.