દરેક લોકો જાણે છે કે ઐશ્વર્યા અભિષેકનો પહેલો પ્રેમ નથી. પરંતુ અભિષેક કરિશ્મા કપૂર સાથે પ્રેમમાં હતો. પરંતુ શું તમે જાણો છો કે કરિશ્મા અને અભિષેકની સગાઇ કેમ તૂટી ગઇ? એવું તો કરિશ્મા કપૂરે શું કહી દીધું કે અભિષેકે સંબંધ તોડી નાંખ્યા ?
મુંબઇ: બૉલીવુડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની જોડી બૉલીવુડની સૌથી ચર્ચિત જોડીમાંથી એક છે. પરંતુ ઐશ્વર્યા અભિષેકનો પહેલો પ્રેમ નથી. વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'હા મેને ભી પ્યાર કિયા' દરમિયાન અભિષેક અને કરિશામ કપૂર એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. જો કે બંને એક બીજાને બાળપણથી જાણતા હતા પરંતુ અભિષેકની વર્ષ 2000માં આવેલી પહેલી ફિલ્મ 'રેફ્યૂજી'માં એની અપોઝિટ કરિશ્માની નાની બહેન કરિના હતી.
સેટ પર કરિશ્મા અભિષેકને મળવા આવતી હતી. અહીંયાથી એમની લવ સ્ટોરીની શરૂઆત થઇ હતી. બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે. બચ્ચન અને કપૂર પરિવારને પણ એમની લવસ્ટોરી ખબર હતી. પરિવારના લોકો ઇચ્છતા હતા કે બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાય. પરિવારની મંજૂરીથી બંનેની સગાઇ પણ થઇ. આ સગાઇ વર્ષ 2002માં અમિતાભ બચ્ચનના જન્મદિવસે થઇ.
પરંતુ આ સગાઇ લગ્ન સુધી ના ટકી. વાસ્તવમાં જયા બચ્ચન ઇચ્છતી નહતી કે બચ્ચન પરિવારની વહુ લગ્ન બાદ પણ ફિલ્મોમાં કામ કરે. પરંતુ જયાની આ શરત કરિશ્માએ માનવાની સ્પષ્ટ ના પાડી દીધી. કરિશ્મા એક્ટિંગ છોડવા માટે તૈયાર નહતી. એટલા માટે બંને પરિવારના વચ્ચે તણાવ આવી ગયો અને સંબંધ તૂટી ગયો. અભિષેક બચ્ચન એની મા ને ખૂબ પ્રેમ કરે છે અને આ જ કારણ છે કે એ સમગ્ર મામલામાં ચૂપ રહ્યો અને કરિશ્મા સાથે સંબંધ તોડી નાંખ્યો.
ત્યારબાદ 2003માં કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા. પરંતુ કરિશ્મા આ લગ્નમાં ક્યારેય ખુશ રહી શકી નહતી. કરિશ્માએ લગ્નના 10 વર્ષ બાદ 2013માં સંજયથી તલાક લીધા. હવે એના બે બાળક સમાયરા અને કિયાન પણ છે.