બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / PM મોદી રિઝલ્ટ અને એક્ઝિટ પોલના દિવસે શું કરે છે? ઈન્ટરવ્યૂમાં જણાવ્યો શિડ્યુલ
Last Updated: 11:33 PM, 28 May 2024
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા PM મોદીએ ABP Newsને આપેલા EXCLUSIVE ઇન્ટરવ્યુમાં વાત કરી છે. તેમણે પરિણામના દિવસે તેમની દિનચર્યા વિશે પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
મતદાનના છેલ્લા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એબીપી ન્યૂઝને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પરિણામના દિવસે તેમની દિનચર્યા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે હું તે દિવસે ધ્યાન કરું છું. તે દિવસે કોઈને મારા રૂમમાં પ્રવેશવાની મંજૂરી નથી હોતી. મને પરિણામના દિવસે ફોન કરવાની પણ મંજૂરી નથી.
પીએમ મોદીએ 2002ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું, આ 2002ની ઘટના છે, લોકો કહી રહ્યા હતા કે જીતવું મુશ્કેલ છે. હું મારા રૂમમાં હતો, મેં કહ્યું જે થશે તે થશે. ફોન આવ્યા ત્યારે મેં ઉપાડ્યા નહીં. ડોરબેલ વાગી રહી હતી, મેં કોઈને બોલાવ્યા અને તેણે મને કહ્યું કે પાર્ટીના લોકો મળવા માંગે છે. તે દિવસે બપોરે 2.30 વાગ્યે મેં પ્રથમ વખત પરિણામ જોયું. પછી મેં માળા મંગાવી અને કેશુભાઈ પટેલને માળા પહેરાવી અને મીઠાઈ ખવડાવી.
ADVERTISEMENT
પરિણામના દિવસે પીએમ મોદી શું કરે છે
પીએમએ કહ્યું, “અત્યારે પણ એક્ઝિટ પોલ અને પરિણામોના દિવસે પણ હું થોડો દૂર રહું છું. હું ન તો પરિણામો પર ધ્યાન આપું છું કે ન તો વલણો પર ધ્યાન આપું છું. હું એક મિશન ધરાવતો માણસ છું. ચૂંટણીના પરિણામના દિવસે મારા રૂમમાં કોઈને પ્રવેશવાની પરવાનગી નથી, મને ફોન આપવો પણ એલાઉન્ડ નથી હોતો.
વધુ વાંચોઃ રેમલ વાવાઝોડાની ચોમાસા પર શું પડશે અસર? આ રાજ્યોના ખેડૂતોને થશે બમ્પર ફાયદો
PM મોદીએ બીજું શું કહ્યું?
આ સિવાય વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું, "અમે દેશની અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 5મા નંબર પર લાવ્યા છીએ. 11મા નંબરથી 5મા નંબર પર આવવું એ એક મોટી છલાંગ છે. મને પૂરો વિશ્વાસ છે કે અમે છેલ્લા 10 વર્ષમાં જે પહેલ કરી છે, ગ્રાઉન્ડ પર જે કામ કર્યુ છે, આવનારા સમયમાં આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.