લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવું ઇન્ટરવ્યૂ આપ્યું છે જેમાં બિનરાજકીય વાતો કહેવામાં આવી છે. આ ઇન્ટરવ્યૂ બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે લીધુ છે, જેમા પીએમએ પોતાના પરિવારસ પોતાની પર્સનલ લાઇફથી જોડાયેલી વાતોને દુનિયા સામે રાખી છે. આશરે 69 મીનિટના આ ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી વાતો કરી.
લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપેલા બિન રાજકીય સાક્ષાત્કારમાં ઘણા ખુલાસા કર્યા. પ્રધાનમંત્રી મોદીએ અક્ષય કુમારને પ્રશ્ન કર્યો કે શું અમારા પીએમને ગુસ્સો આવે છે અને આવે છે તો એ કેવી રીતે ગુસ્સો નિકાળે છે?
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો હું કહું કે મને ગુસ્સો આવતો નથી તો એ ઘણા લોકો માટે સરપ્રાઇઝ હશે. રાજી નારાજી ગુસ્સો આ મનુષ્યનો સ્વભાવનો ભાગ છે. લાઇફ એના વગર ના હોઇ શકે, દરેક પ્રકારની ચીજો દરેક લોકો સાથે થાય છે. પરંતુ જે મારી 18 22 વર્ષની લાઇફનો મોટો તબક્કો હતો ત્યાં જે મારી ટ્રેનિંગ થઇ એમાં એ બધી વાતો હતી.
એમને કહ્યું કે હું આટલો સમય સુધી મુખ્યમંત્રી રહ્યો, આટલો સમય પ્રધાનમંત્રી રહ્યો પરંતુ મને પટ્ટાવાળાથી લઇને પ્રિન્સિપલ, સેક્રેટરી સુધી ક્યારેય પણ કોઇની ઉપર ગુસ્સો કરવાની તક મળી નથી.
અક્ષયે ફરી પૂછ્યું તો શું તમને ગુસ્સો નથી આવતો? એની પર પીએમ મોદીએ કહ્યું કે અંદર તો હોય છે પરંતુ બહાર નિકાળતા હું મારી જાતને રોકું છું. થાય છે એવું કે ક્યારેક તમે એક મીનિટમાં ગુસ્સો કરી દીધો તો મીટિંગનો એજન્ડી રહી જાય છે અને લોકોના મનમાં એ 2 3 મીનિટ ચાલે છે.
ગુસ્સો નિકાળવાના પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે એવી કોઇ ઘટના છે જે મને પસંદ નથી આવી અને તમારું મન કરે છે કે આવું કેમ થયું. ક્યારેયક થતું હતું કે મારી સાથે આવું કેમ થયું અને ક્યારેયક થતું હતું કે મે આવું કેમ કર્યું. મારે આવું નહતું કરવું જોઇતું. હું એકલો કાગળ લઇને બેસતો હતો. અને બધું અંદર લખતો હતો. પછી એને ફાડીને ફેંકી દેતો હતો. પછી પણ મન શાંત નહતું થતું તો હું ફરીથી લખતો હતો.