સામાન્ય રીતે મંદિરમાં પૂજા કરવા જતા લોકોને આપણે ભગવાનને ફૂલ-હાર ચઢાવતા જોયા છે. ક્યારેક દર્શન કરનારને પૂજારી એ હાર-ફૂલ આપે છે. મંદિરથી મળેલા હાર-ફૂલ નિર્માલય કહેવામાં આવે છે. એનું પણ એક ખાસ મહત્વ હોય છે. ઘરમાં રાખવા અથવા વિસર્જિત કરવા ગ્રંથોમાં અલગ અલગ રીત જણાવી છે.
મોટાભાગે જ્યારે લોકો મંદિર જાય છે તો પૂજારી એમને ભગવાન પર ચઢાવવામાં આવેલા ફૂલ પ્રસાદની સાથે આપે છે, એને આશીર્વાદ સમજીને લોતો ઘરે પણ લઇ આવે છે પરંતુ જ્યારે એ ફૂલ અથવા હાર સૂકાઇ જાય છે તો સૌથી વધારે પરેશાની એ વાતની થાય છે કે હવે આ ફૂલોનું શું કરવું જોઇએ. કંઇક અશુભ થવાના ડરથી લોકો એને ફેંકતા પણ નથી. આપણા શાસ્ત્રોમાં એનું સમાધાન આપવાામાં આવ્યું છે. એક પંડિતના જણાવ્યા અનુસાર ભગવાન પર ચઢાવવામાં આવેલા ફૂલોને બે-ત્રણ રીતે રાખી શકો છો.
પંડિતના અનુસાર જો તમને મંદિરથી ભગવાન પર ચઢેલા ફૂલ અથવા હાર આપવામાં આવે છે તો એને પહેલા ઘરના એ કબાટમાં મૂકવા જોઇએ જેમાં તમે ઘરેણાં અને પૈસા રાખો છો. જો પ્રસાદમાં ફૂલ મિલાવીને આપવામાં આવે છે તો એને તિજોરીમાં મૂકી દેવું જોઇએ. ફૂલ સૂકાઇ જવા પર વિખરાઇ ના જાય એની સૌથી સારી રીત છે એને કોઇ નાની થેલી, કપડું અથવા કાગળમાં બાંધીને રાખો.
જો તમને યાત્રાઓ દરમિયાન કોઇ એવા મંદિરથી ફઊલ અથવા હાર મળે તો એ સમયે સૌથી વધારે સમસ્યા થાય છે કારણ કે યાત્રામાં એ સંભાળીને રાખવા ખૂબ કઠિન છે. એવામાં તમે એ ફૂલોને તમારી હથેળી પર રાખીને સૂંઘો, સૂંઘ્યા બાદ એને કોઇ ઝાડના મૂળમાં મૂકી દો અથવા સરોવર કે નદીમાં વહેવડાવી દો.