ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના છે ત્યારે ગુજરાતના દરિયાકિનારે અલર્ટ જાહેર કરવામાં આવી છે. આ વાવાઝોડામાં કાંઠા વિસ્તારના 292 ગામોને અસર થઇ શકે છે. જ્યારે તેમાં સાડા ત્રણ લાખ વસ્તીને અસર થવાની શક્યતાઓ છે. ત્યારે આ મામલે તંત્ર અલર્ટ છે. પરંતુ તમે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું કરશો?
ગાંધીનગરમાં મહેસુલ અધિક સચિવ પંકજ કુમારનું નિવેદન
'વાયુ' વાવાઝોડાને લઈને તંત્ર અલર્ટ થયું છે. આ મુદ્દે મહેસુલ અધિક સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, વાવાઝોડુ 650 કીમી દૂર છે. 13 તારીખે વહેલી સવારે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કરશે. આ વાવાઝોડામાં અમરેલી, જૂનાગઢ, મોરબી, પોરબંદર, કચ્છ પ્રભાવિત થવાના છે. જેને લઈને તંત્ર સતર્ક થયું છે. જેટી અને કાચા મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે. કાચા મકાનમાં રહેતા લોકોનુ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પંકજ કુમારના જણાવ્યા પ્રમાણે 35 NDRFની ટિમો રાજ્યમાં તહેનાત કરવામાં આવનાર છે. BSFની 2 કંપની કચ્છમાં તહેનાત રહેનાર છે. જ્યારે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવશે. તમામ જિલ્લામાં એક એક આર્મી ટીમ પણ મોકલવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, 4.5 લાખ જેટલા ખેડૂતોને મેસેજ થકી માહિતી આપીએ છીએ. દરિયામાં ગયેલી તમામ બોટ પરત આવી ગઈ છે. વાવાઝોડા પછીની પરિસ્થિતિને ધ્યાને લઈને તૈયારી કરાઈ છે. ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
વાવાઝોડા પહેલા શું તૈયારી કરશો ?
રહેણાક વિસ્તારને તંત્રએ ખાલી કરવા કહ્યું હોય તો તેનો અમલ કરવો
તંત્રએ જો રહેણાક વિસ્તાર ખાલી કરવા ન કહ્યું હોય તો તમારે સાવચેતી રાખવી