શહેર અને રાજ્યમાં સતત વધી રહ્યા છે મ્યુકરમાઈકોસિસના કેસ, સારાવાર માટે લેવમાં આવતા ઈજેક્શની અછત, અમદાવાદ સિવિલમાં દર્દીઓ માટે પાંચ વોર્ડ શરૂ કરાયા
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસનું સંકટ
કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસ કેસ વધ્યા
અમદાવાદ, સુરત અને વડોદરમાં વધ્યા કેસ
કોરોના સંકટ બાદ હવે શહેર અને રાજ્યામાં મ્યુકર માઈકોસિસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે મ્યુકરમાઈકોસિસના કેસ વધથા તંત્રની ચિંતા પણ વધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે દિવસે મ્યુકરમાઈકોસિના 86 નવા કેસ નોંધાયા છે જેને પગલે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પાંચનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. અગાઉથી આવા દર્દીઓ માટે 4 વોર્ડ ફાળવવામાં આવ્યા હતા.
મ્યુકર માઈકોસિસ કેસમાં વધારો
બીજી તરફ સુરત અને વડોદરામાં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 185 કેસ સામે આવ્યા છે જ્યારે 67 જેટલા દર્દીઓ સાજા થયા છે અને 99 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સુરતમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધતા તંત્ર પણ સાબદું બન્યું છે સુરતમાં મ્યુકરમાઈકોસિસના આંતક દિવસે દિવસે વધતો જાય છે, એવામાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઈન્જેક્શનની પણ ભારે અછત સર્જાઈ છે અમદાવાદમાં પણ કેસ વધતા ઈન્જેક્શનની અછત સર્જાઈ છે.
મ્યુકર માઈકોસિસના 25 દર્દીઓની સર્જરી
વડોદરામાં પણ મ્યુકરમાઈકોસિસના નવા કેસ સામે આવી રહ્યા છે હાલ વડોદરામાં 200થી વધારો દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે મ્યુકરમાઈકોસિસના વધુ 19 નવા દર્દી સામે આવ્યા છે. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે જ્યારે અન્ય દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મ્યુકર માઈકોસિસના ઈજેક્શનની અછત
આમ કોરોના સંક્રમણ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, નિષ્ણાંતોના અનુસાર હજુ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થતા મ્યુકરમાઈકોસિસ જોવા મળે છે, મ્યુકરમાઈકોસિસની સારવારમાં લેવમાં આવતા ઈજેક્શનની અછત સર્જાઈ રહી છે એ પણ એક ચિંતાનો વિષય મનાઈ રહ્યો છે.