500 અને 1000ની નોટબંધી કરવાને કારણે શું લાભ થયો તેને લઈને સરકારે એક મહત્વનો ખુલાસો કર્યો છે.
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રીનો રાજ્યસભામાં જવાબ
નોટબંધીને કારણે રેવન્યુ કલેક્શનમાં મોટો વધારો થયો
ટેરર ફંડિગ પર લગામી આવી
નાણારાજ્યમંત્રી પંકજ ચોધરીએ રાજ્યસભામાં જણાવ્યું કે નવેમ્બર 2016માં 500 અને 1000ની નોટ બંધ કર્યા બાદ સરકારે ત્રણ મોટા હેતુ સિદ્ધ કર્યાં છે. તેમણે કહ્યું કે સરકારના રેવન્યુ કલેક્શનમાં મોટો વધારો થયો છે સાથે ટેક્સનો વ્યાપ ઘણો વધ્યો છે અને આતંકી ભંડોળ અંકૂશમાં આવ્યું છે.
Govt has achieved goals such as higher revenue collection, widening of tax net and curbing terror funding post #demonetisation of Rs 500 and Rs 1,000 bank notes in November 2016, Minister of State for Finance Pankaj Chaudhary tells Rajya Sabha
ત્રણ મોટા કામ થયા
(1) સરકારના રેવન્યુ કલેક્શનમાં મોટો વધારો થયો
(2) ટેકસનો વ્યાપ વધ્યો
(3) આતંકી ભંડોળ બંધ થયું
ક્રિપ્ટોકરન્સી દાખલ કરવાની સરકારની કોઈ યોજના નથી
મિનિસ્ટર પંકજ ચોધરીએ કહ્યું કે સરકારની ક્રિપ્ટોકરન્સી દાખલ કરવાની કોઈ યોજના નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે-મંત્રીનો સંકેત
નાણા રાજ્યમંત્રી ચોધરીએ એવું જણાવ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને લઈને સામાન્ય લોકોના હિતોની રક્ષા કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર હાલના વૈશ્વિક ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને જ્યારે પણ જનતાના હિતની રક્ષા કરવાનું જરુરી લાગશે ત્યારે સુનિયોજિત હસ્તક્ષેપ કરશે. તેમણે કહ્યું કે આમ આદમીના હિતોની રક્ષા માટે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા છતા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી.