ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ નોંધાયા બાદ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નું મોટું નિવેદન સામે આવ્યું છે.
ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી પર WHOનું મોટું નિવેદન
WHO એશિયા વિસ્તારના અધ્યક્ષ ડોક્ટર પૂનમ ખેત્રપાલની ચેતવણી
લોકોએ હવે પહેલાની જેમ જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે
WHOના દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારના અધ્યક્ષ ડોક્ટર પૂનમ ખેત્રપાલે કહ્યું કે આવું થવું અણધાર્યું નહોતું, આ ઘટનાથી સ્પસ્ટ થાય છે કે દરેક દેશે આ વાયરસને ફેલાતો અટકાવવા સચેત રહેવાની જરુર હતી.
ડોક્ટર પૂનમ ખેત્રપાલે જણાવ્યું કે લોકોએ સારા ફિટિંગ વાળું માસ્ક પહેરવું જોઈએ તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જતા બંધ કરવું જોઈએ.
ભારત વહેલા ચેતવાની જરુર હતી-ડોક્ટ પૂનમ ખેત્રપાલ
ડૉ. સિંહે કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિએન્ટ આજે ચિંતાજનક છે અને દેશમાં બે કેસ પ્રકાશમાં આવ્યા છે તેની પુષ્ટિ કરવી ભારત માટે અણધારી નહોતી. તે તમામ દેશોની દેખરેખ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, અને તેમને સતર્ક રહેવા અને વાયરસના ફેલાવાને ઘટાડવા માટે પગલાં લેવા તરફ નિર્દેશ કરે છે. ઓમિક્રોન સહિત તમામ વેરિએન્ટ માટેના પ્રતિસાદ પગલાં એસએઆર સીઓવી2 જેવા જ છે. સરકારો દ્વારા વ્યાપક અને સુસંગત જાહેર આરોગ્ય અને સામાજિક પગલાં, અને વ્યક્તિઓ દ્વારા નિવારક અને સાવચેતીના પગલાંનું કડક પણે પાલન કરવું જોઈએ."
લોકોએ આ કામ કરવું પડશે
તેમણે કહ્યું, "લોકોએ સારી રીતે ફિટિંગ વાળા માસ્ક પહેરવો જોઈએ જે તેમના નાક અને મોઢાને સારી રીતે ઢાંકે, અંતર જાળવે, ખરાબ વેન્ટિલેશન ટાળે અથવા ભીડભાડવાળા સ્થળોએ ન જાય, હાથ સાફ રાખે, ઉધરસ અને છીંક ખાતી વખતે મોઢું ઢાંકી દે અને રસી લે." રસી લીધા પછી પણ સાવચેતીના તમામ પગલાં લેવાનું ચાલુ રાખો. તમામ મુસાફરોએ હંમેશાં જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંનું પાલન કરવું જોઈએ અને કોવિડ-19ના લક્ષણો વિશે સતર્ક રહેવું જોઈએ.