સુરતની સેશન્સ કોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા ફટકારી છે. રાહુલ ગાંધીએ વર્ષ 2019માં કર્ણાટકમાં મોદી અટકને લઈને નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો
સુરતની કોર્ટે ફટકારી 2 વર્ષની સજા
2019માં આપ્યું હતું મોદી અટક પર વિવાદસ્પદ નિવેદન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના વર્તમાન સાંસદ રાહુલ ગાંધીને 'મોદી અટક' સંબંધિત કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે (23 માર્ચ, 2023) તેમને માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, આ કેસમાં રાહુલ ગાંધીના જામીન પણ મંજૂર થઈ ગયા છે. તો ચાલો જાણીએ કે રાહુલ ગાંધી ક્યાં અને ક્યું નિવેદન આપ્યું હતું.
રાહુલે ક્યારે, ક્યાં અને શું કહ્યું?
વાસ્તવમાં આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન 'મોદી અટક' પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'ચોકીદાર જ ચોર છે'નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં 'મોદી અટક' સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગ પતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ મોદીની તરફ હતું.
Surat court holds Rahul Gandhi 'Guilty' in criminal defamation case over his statement insulting Modi Surname
પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી ઓક્ટોબર 2021માં સુરત કોર્ટમાં તેમનું નિવેદન નોંધવા હાજર થયા હતા.