અભિનેતા પરેશ રાવલે એક સભામાં વિવાદાસ્પદ નિવેદન આપતા તે નિવેદનના કારણે ભારે વિવાદ થયા બાદ પરેશ રાવલે પોતાની ભૂલનો અહેસાસ થયો અને માફી માંગી
અભિનેતા પરેશ રાવલના એક નિવેદનથી વધ્યો વિવાદ
અંતે પરેશ રાવલને ભૂલ સમજાઈ અને માફી માંગી
પરેશ રાવલે રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને લઈ આપ્યું હતું વિવાદિત નિવેદન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા પરેશ રાવલના એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જોકે હવે એ નિવેદનને લઈ વિવાદ વધતાં તેમણે માફી માંગી છે. અભિનેતા પરેશ રાવલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનને કારણે ભારે વિવાદ થયા બાદ પરેશ રાવલે પોતાની ભૂલનો અહેસાસ થયો અને માફી માંગી હોવાનું સામે આવ્યું છે. આવો જાણીએ કે પરેશ રાવલે એવું તે શું નિવેદન આપ્યું હતું કે માફી માંગવી પડી ?
હકીકતમાં રાજકીય પક્ષો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતપોતાની જીત માટે કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને આ સાથે તમામ રાજકીય પક્ષોની નજર હવે બીજા અને અંતિમ તબક્કાના મતદાન પર છે. પાર્ટીઓના સ્ટાર પ્રચારકો પોત-પોતાના સ્તરે જનતા પાસે વોટ માંગી રહ્યા છે. એટલું જ નહીં ભાષણોમાં નેતાઓના જોરદાર નિવેદનો પણ ચાલી રહ્યા છે. આ દરમ્યાન એક સભામાં પરેશ રાવલે રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું હતું.
જાણો શું કહ્યું હતું પરેશ રાવલે ?
અભિનેતા પરેશ રાવલે ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને કોંગ્રેસના વિરોધ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'ગેસ સિલિન્ડરના ભાવ ફરી એક વખત નીચે આવશે, પરંતુ જો રોહિંગ્યાઓ કે બાંગ્લાદેશીઓ તમારા ઘરની નજીક રહેવા લાગે તો તમે શું કરશો, શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો.'
Actor/BJP politician Paresh Rawal in Gujarat: “Price of Gas cylinders will come down, inflation will fluctuate up-down, but what will you do when Bangladeshis and Rohingyas start living next to you?”
અભિનેતા પરેશ રાવલે શુક્રવારે સવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. પરેશ રાવલને પોતાની ભૂલનો અહેસાસ થયો અને આજે સવારે 9.43 વાગ્યે એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું- 'જો મારા નિવેદનથી કોઈ બાંગ્લાદેશીની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેની માફી માંગુ છું. મેં માછલી વિશે જે નિવેદન આપ્યું હતું તે રોહિંગ્યાઓ અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટે હતું.
of course the fish is not the issue AS GUJARATIS DO COOK AND EAT FISH . BUT LET ME CLARIFY BY BENGALI I MEANT ILLEGAL BANGLA DESHI N ROHINGYA. BUT STILL IF I HAVE HURT YOUR FEELINGS AND SENTIMENTS I DO APOLOGISE. 🙏 https://t.co/MQZ674wTzq
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પરેશ રાવલના નિવેદનને લઈને ટ્રોલ કર્યા હતા. કેટલાકે તેમને બંગાળીઓ વિરુદ્ધ નફરતનું ભાષણ ગણાવ્યું તો કેટલાકે તેની ઉંમરની મજાક ઉડાવી. જોકે પરેશ રાવલને તેમના વિવાદાસ્પદ શબ્દોને લઈને તેમની ભૂલ ટૂંક સમયમાં જ સમજાઈ ગઈ અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોની માફી માંગી અને તેમની વાત પણ સ્પષ્ટપણે કહી.