પાટીદારોને અનામત આપવાની માગ સાથે સવા ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલા આંદોલને પાટીદારો સહિત સવર્ણો ને તો 10 ટકા EBC અપાવી..પણ તેની સાથે સાથે આંદોલનકારીઓને પણ ઘણુ ખરું આપ્યું...જેમાં ખાસ કરીને હાર્દિક,લલિત વસોયા,કિરીટ પટેલ,વરૂણ પટેલ આ તમામ એવા લોકો છે જેમને આંદોલન કરવું ફળ્યું છે..આ તમામ ચહેરાઓ હાલ રાજનીતિમાં આવી ચૂક્યા છે..જો કે આંદોલનમાં જોડાયેલા બીજા અલ્પેશ કથીરિયા,દિલીપ સાબવા,દિનેશ બાંભણિયા,લાલજી પટેલ સહિત અન્ય એવા આંદોલનકારીઓ પણ હશે જે માત્ર આંદોલનકારી જ બનીને રહ્યા...હવે સ્થિતિ એ છે કે માત્ર આંદોલનકારી તરીકે ભૂમિકા નિભાવી ચુકેલા અને આંદોલન બાદ રાજકારણમાં પ્રવેશેલા પાટીદાર નેતાઓ વચ્ચે એક કોલ્ડવોરની શરૂઆત થઈ છે..જેમાં રાજનીતિના ઉભરે ચઢેલા પાટીદાર નેતાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે તેમના જ આંદોલનના એક સમયના સાથીઓ.. ત્યારે અહી સવાલ એ છે કે બે ભાગમાં વહેચાયેલા પાટીદાર નેતાઓ શું સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધી ગયા? કે પછી સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન