રાજ્યના રોડ-રસ્તાને રિસરફેસ કરવા કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ રસ્તા સંબંધિત ફરિયાદ કરવા જણાવાયા બાદ કહ્યું અત્યારે કેટલાક વિસ્તારમાં કામ ચાલુ છે.અને બાકીનું પણ પૂર્ણ થઇ જશે
બિસ્માર રોડ મુદ્દે પૂર્ણેશ મોદીનું નિવેદન
કર્મચારીઓ કામને લઈને ઉત્સાહમાં:પૂર્ણેશ મોદી
1થી 10 ઓક્ટોબરમાં કામગીરી કરાશે:પૂર્ણેશ મોદી
ગુજરાતમાં નવા સરદાર,નવી સરકારને બે સપ્તાહ થયા છે ત્યારે, સરકાર રચના બાદ તુરંત જ રાજ્યના રોડ-રસ્તાને રિસરફેસ કરવા કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી. જાહેરાત સાથે રાજ્યના નાગરિકોને એક વોટ્સએપ નંબર પણ આપી, પોતાના વિસ્તારની રસ્તા સંબંધિત ફરિયાદ કરવા જણાવાયું હતું. હવે સમયાવધિ શરુ થઈ છે ત્યારે, કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કહ્યું છે કે, હાલ વરસાદ છે.એક-બે દિવસ પછી કામ પુરજોશમાં શરુ થઇ જશે.
માહિતી ટ્ટીટથી મળશે
રાજ્ય સરકારે રોડ-રસ્તા સમારકામ માટે જે સમયાવધિ આપી હતી તે મુજબ, 1 થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યના તામામ બિસ્માર એવા રોડ-રસ્તાનું સમારકામ કરવા જાહેરાત કરવમાં આવી હતી. રાજ્યના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કહ્યું કે, અમારા વિભાગના કર્મચારીઓ પોતાના કામને સમયસર પૂર્ણ કરવા માટે ઉત્સાહિત છે. કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.હાલ વાવાઝોડાના સંકટ પછી પણ વરસાદનું જોર હોવાથી એક-બે દિવસ રાહ જોવી હિતકારી છે. બાકી, જ્યાં વરસાદની અસર નથી ત્યાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે.જે કોઈની ફરિયાદ છે અથવા કામગીરી ક્યાં પહોચી તે અંગેની જાણકારી સરકાર ટ્વીટનાં માધ્યમથી આપીશું.
મહાપાલિકા-નગરપાલિકાઓનો સમાવેશ નહિ
રાજ્યના કેબીનેટ મંત્રીએ એમ પણ જણાવ્યું કે,રાજ્યની 8 મહાનગર પાલિકા અને નગરપાલિકાઓનો સમાવેશ માર્ગ અને મકાન વિભાગમાં ણ થતો હોવાથી આ અંગે સરકારે તમામ મહાપાલિકાના કમિશનરને જાણ કરી છે. મહાપાલિકા વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારોમાં પણ રોડ રસ્તાના કામ ત્વરાથી પૂર્ણ થાય તેવો પણ સરકારનો પ્રયાસ છે.વરસાદ બાદ તમામ કામગીરીઓ પૂર્ણ થઇ જશે