ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં રાખવુ જોઇએ ખાસ ધ્યાન, નહીં તો સુગર લેવલને કાબૂમાં લેવુ પડશે ભારે
ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવુ
ભોજનમાં સાવચેતી રાખવી જરૂરી
ડાયટ સારુ હશે તો તમે રહેશો હેલ્ધી
ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે. ત્યારે સવાલ એ થાય કે ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ખાવુ શું , ત્યારે આવો જાણીએ એવા કેટલાક નાસ્તા વિશે જે ખાવાથી તમારુ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
ડાયાબિટીસના દર્દીઓએ ઈંડા ખાવા જોઈએ
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. તમને આનો લાભ મળશે. વાસ્તવમાં, તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
જાંબુ સાથે દહીં ખાઓ
શું તમે જાણો છો કે જો તમે સવારના નાસ્તામાં જાંબુની સાથે દહીંનું સેવન કરો છો તો તમને ફાયદો થશે. તેનાથી તમારી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. એટલે કે ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જ જોઈએ. તમને આનો લાભ મળશે.
દલિયા ખાવાથી થશે લાભ
જ્યારે બ્લડ સુગર વધારે હોય ત્યારે દર્દીઓ તેમના નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરી શકે છે. તેમાં રહેલા સારા પોષક તત્વો તમારી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જો શક્ય હોય તો, તમારા આહારમાં નમકીન દલિયાને તમારા ડાયટમાં સામેલ કરો. સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક રહેશે.