આમિર ખાન પોતાની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ની શૂટિંગ કરે છે ત્યારબાદ આમિર તેના આગલા પ્રોજેક્ટ ફિલ્મ 'મહાભારત'નું કામ કરશે. મળતી માહિતી મુજબ આ ફિલ્મ 1000 કરોડના બજેટમાં બનશે અને આમિર ખાન આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવશે.
હજુ સુધી ફિલ્મના બાકી રોલ વિશે વધારે માહિતી મળી નથી પરંતુ સૂત્રો દ્વારા મળતી મળી છે કે આમિર ખાને આ ફિલ્મ દ્રૌપદીના રોલ માટે પોતાની બેસ્ટ ફ્રેન્ડ દીપિકા પાદુકોણને લેવાની વાત કરી હતી. આમિરનું માનવું છે કે આ ભૂમિકા દીપિકાથી સારી કોઈ નહીં ભજવી શકે.
તમને જણાવી દઈએ કે દીપિકાએ પદ્માવતીની ભૂમિકા ભજવી હતી. જેના ઘણા વિરોધ થયા હતા ત્યારે દીપિકાને થયું કે હવે તે આવી ભૂમિકાની ના પડી દેશે. જો આ રોલ માટે દીપિકા હા પડે છે તો આમિર સાથે તે પ્રથમ વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમિર ઈચ્છે છે કે દીપિકા જ દ્રૌપદીની ભૂમિકા ભજવે. આ ફીલ બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ હશે. આમિર તેના આ પ્રોજેક્ટને લઈને ખુબજ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના નિર્માતા મુકેશ અંબાણી છે.