મુંબઈમાં યોગી આદિત્યનાથ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને મળ્યા
સુનીલ શેટ્ટીએ બોલિવૂડ બોયકોટ મુદ્દે સીએમ યોગીને ખાસ અપીલ કરી
જેકી શ્રોફે કહ્યું, સાહેબ, થિયેટરમાં પોપકોર્ન ની કિંમત ઓછી કરો
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાલ મુંબઈની બે દિવસની મુલાકાતે છે. આ તરફ મુંબઈમાં યોગી આદિત્યનાથ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને મળ્યા હતા. આ દરમિયાન સુનીલ શેટ્ટી, રાજકુમાર સંતોષી, સુભાષ ઘાઈ, મનમોહન શેટ્ટી, બોની કપૂર અને જેકી શ્રોફ પણ પહોંચ્યા હતા. જેમણે સીએમ યોગી સાથે ઈન્ડસ્ટ્રી અંગે ખુલીને ચર્ચા કરી હતી.
મુંબઈમાં યોજાયેલી આ બેઠકનો હેતુ ફિલ્મ સિટીમાં શૂટિંગ અને રોકાણની શક્યતાઓ પર ચર્ચા કરવાનો હતો. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ બોલિવૂડ બોયકોટ મુદ્દે સીએમ યોગીને ખાસ અપીલ કરી હતી. આ સાથે જેકી શ્રોફે પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને એવી વાત કહી કે, સિનેમાપ્રેમીઓ તેમના વખાણ કરતાં થાકશે નહીં.
પૉપકોર્નનું કંઈક કરો: જેકી શ્રોફ
ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે હળવા મૂળમાં યોગી આદિત્યનાથ સાથે વાત કરતાં કહ્યું કે, સાહેબ, થિયેટરમાં પોપકોર્નની કિંમત ઓછી કરો. પોપકોર્નના 500 રૂપિયા લે છે. આ શું વાત થઈ. પોપકોર્ન ખોરાક છે, પરંતુ કિંમત એટલી ઊંચી છે. હવે જ્યારે તમે ઉત્તર પ્રદેશમાં સિનેમા હોલ બનાવો છો, તો એટલો દંડ રાખો કે સિનેમાવાળા આટલુ બધુ ન ખાઈ શકે.
પિક્ચર બનાવશે, સ્ટુડિયો બનાવશે પણ......
ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે કહ્યું હતું કે, ખાઓ પણ એટલું નહીં કે પેટ ભરાઈ જાય. ખાઓ અને ખવડાવો, પણ તમે આટલું બધું કેવી રીતે ખાઈ શકો છો ? પિક્ચર બનાવશે, સ્ટુડિયો બનાવશે, પણ અંદર કોણ આવશે. ફક્ત તે જ આવશે જે ખાવા માટે સક્ષમ હશે.
ઘરનું ખાવાનું માંગશો તો......
સીએમ યોગી સાથેની વાતચીતમાં જેકી શ્રોફે કહ્યું- 'પ્રણામ મુંબઈમાં આપનું સ્વાગત છે. બધાને ખૂબ પ્રેમ. જો તમે ક્યારેય ઘરનું ખાવાનું માંગશો, તો તમે ઓર્ડર કરશો, તમને તે મળશે. બધા મોટા લોકો અહીં આવ્યા છે, વાત કરી, સારું લાગ્યું.
બોલીવુડના બહિષ્કારને લઈ સુનિલ શેટ્ટીએ શું કહ્યું ?
સુનીલ શેટ્ટીએ સીએમ યોગીને બોલીવુડના બહિષ્કારની પ્રથામાંથી ઉદ્યોગને મુક્ત કરવાની અપીલ કરી હતી. તેમણે સીએમ યોગીને આ મામલો પીએમ મોદી સુધી પહોંચાડવા કહ્યુ. જેથી ઈન્ડસ્ટ્રી આ ટ્રેન્ડમાંથી મુક્ત થઈ શકે. કારણ કે, લોકો તમને સાંભળે છે. આ સાથે તેણે ડ્રગ્સના મુદ્દે પણ વાત કરી અને એમ પણ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં 90 લોકો એવા છે જે ડ્રગ્સ લેતા નથી, પરંતુ ઈન્ડસ્ટ્રીની ઈમેજ ખરાબ થઈ રહી છે.
आज मुंबई में फिल्म जगत से जुड़े लोगों के साथ 'नए उत्तर प्रदेश' में फिल्म क्षेत्र से संबंधित विभिन्न बिंदुओं पर सार्थक चर्चा हुई।
સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ સાથે વાત કરતા કહ્યું હતું કે, બૉલીવુડ પર લાગેલ આ બોયકોટ હેશટેગ હટાવવું ખૂબ જ જરૂરી છે. અમુક લોકો ખરાબ હોય શકે છે પણ બધા એવા નથી હોતા. અમારી વાર્તાઓ અને સંગીત આપણને વિશ્વ સાથે જોડે છે અને એ માટે આ કલંકને દૂર કરવું ખૂબ જ જરૂરી છે.
Uttar Pradesh CM Yogi Adityanath meets members of the Bollywood fraternity in Mumbai
There is excellent connectivity in Uttar Pradesh. We are constructing the Jewar airport near the Film City in the state, says UP CM Adityanath. pic.twitter.com/87GPMBDw6k
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તાજેતરમાં બોલિવૂડની ઘણી હસ્તીઓને મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં એક ફિલ્મ સિટી બનાવવામાં આવી રહી છે અને આ વિશે યોગી આદિત્યનાથે ફિલ્મ સ્ટાર્સ સાથે વાત કરી હતી. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથને બોલીવુડ સામેના બૉયકોટ ટ્રેન્ડને બંધ કરવા માટે મદદ કરવા વિનંતી કરી હતી. આ સમયે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે કે બોલિવૂડમાંથી બોયકોટનું ટેગ હટાવવું ખૂબ જ જરૂરી છે જેથી તેની કલંકિત છબીને સુધારી શકાય.