ભારત અને ચીનના વધતા વિવાદ વચ્ચે ચીને વધું એક અવળચંડાઈ કરી છે. જેમા તેણે શીપીંગ કંપનીઓને ભારતીયોને નોકરી આપવાની ના પાડી દીધી છે. જો તેઓ નોકરી આપે છે તો ચીનની જળસીમીમાં તેમને ઘુસવા દેવામાં નથી આવતા.
સીમા વિવાદ વચ્ચે ચીનની નવી અવળચંડાઈ
બીજિંગ બંદર પર ચીન દ્વારા રોક લગાવામાં આવી
21 હજાર શ્રમીકો નોકરી ગુમાવે તેવી આશંકા
ચીન દ્વારા અવાર નવાર ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે છે. ત્યારે ફરી વખત ચીન દ્વારા મુશ્કેલી ઉભી કરવામાં આવી છે. બીજિંગના બંદર પર ચીન દ્વારા બધાને આવવા પર રોક લગાવી દેવામાં આવી છે. બંદર પર કેટલાક ભારતીય શ્રમીકો પણ કામ કરે છે. આ મામલે શ્રમીકોના સંગઠને સામેથી ઉલ્લેખ કર્યો છે.
ભારતીય શ્રમિકો પર રોક
ઓલ ઈન્ડિયા સીફેયરર એંન્ડ જનરલ વર્કર્સ નામના સંગઠને આ મામલે જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું કે ચીન દ્વારા જે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેના કારણે 21 હજાર ભારતીય પ્રત્યક્ષ રુપે નોકરી ગુમાવશે તેવો તેમનો ડર છે. ચીન દ્વારા ભારતીય સમુદ્રી શ્રમિકોને કામ કરતા રોકવામાં આવી રહ્યા છે.
40 ક્રુ મેમ્બર ફસાયા
આ મામલે સંગઠન દ્વારા વિદેશ મંત્રાલયને પણ જાણકારી આપવામાં આવી છે. જેમા વિદેશ મંત્રી એસ જયશંકરને પણ અલગથી પત્ર લખીને એકશન લેવા માટે માગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શરુઆતમાં ચીને વિદેશી જહાજો પર રોક લગાવ્યો છે. જે જહાજો પર રોક લગાવામાં આવ્યો છે. તેમા 40 જેટલા ફ્રુ મેમ્બર્સ પણ ચીનમાં ફસાઈ ગયા છે.
21 હજાર ભારતીયોની નોકરી જાય તેવી આશંકા
જોકે સમગ્ર મામલે ડીજી શિપિંગ અમિતાભ ઠાકુરે એવું કહ્યું કે તેમને હજુ સુધી કોઈ પત્ર નથી મળ્યો. સાથેજ ચીન દ્વારા પણ આ પ્રતિબંધને લઈને પણ હજુ સુધી કોઈ સૂંચના આપવામાં નથી આવી. તેમણે કહ્યું તેમની પાસે એવી પણ કોઈ માહિતી નથી કે 21 હજાર ભારતીયોને નોકરી જઈ શકે છે.
ભારતીય શ્રમીકોને કામ મળતું બંધ
જોકે નેશનલ શિપિંગ બોર્ડના સદસ્ય સંજય પરાશને કહ્યું કે ચીન હવે શર્તો લગાવી રહ્યું છે. વિદેશી જહાજ કંપનીઓનું કહેવું છે કે ચીન દ્વારા તેમની શર્તો માન્યા પછીજ આપ-લે કરવાનું કહેવામાં આવ્યું છે. જે શર્તોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ચીનની સમુદ્રી સીમામાં જે પણ કંપનીઓ કામ કરવા આવવા માગે છે. તેમણે ભારતીય લોકોને કામ આપવાનું બંધ કરવું પડશે.
કોરોનાના કેસ વધવાનું કારણ
ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા આ પ્રતિંબંધો માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવ્યા હતા. તે વખતે તેમણે ભારતમાં કોરોનાના કેસ વધવાનું કારણ આપ્યું હતું. જોકે હવે તેઓ શીપીંગ કંપનીઓને ભારતીય લોકોને નોકરી ન આપવા કહી રહ્યા છે. જેના કારણે તેઓ અન્ય દેશોના નાગરીકોને નોકરીએ રાખી રહ્યા છે.