આજના ફાસ્ટ યુગમાં લોકો ફાસ્ટફૂડના સહારે જ જીવી રહ્યા છે . આવી અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે બીમારીઓનું પ્રમાણ પણ વધ્યુ છે જેમાં હાર્ટ એટેકનું પ્રમાણ સૌથી વધારે છે.
હાર્ટ એટેકથી બચવા માટેના ઉપાયો
કેટલીક ખરાબ આદતોને કારણે આવી શકે છે હાર્ટ એટેક
હાર્ટ એટેક આવવાના કારણો
આપણે હંમેશા ઇચ્છીએ છીએ કે આપણું સ્વાસ્થ્ય સારુ રહે. સ્વસ્થ હૃદય હોવું ખૂબ જ જરૂરી છે, પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલી અને અનહેલ્ધી ખોરાકની આદતોને કારણે આપણે હૃદયની યોગ્ય રીતે કાળજી રાખી શકતા નથી. પરિણામે ઘણી શારિરીક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાં પણ હાલમાં હાર્ટ એટેકની સમસ્યા વધી ગઇ છે. ત્યારે જો તમારે પણ હાર્ટ એટેકનો સામનો ન કરવો હોય તો આજે કેટલીક ખરાબ ટેવો છોડી દેવી જોઈએ.
આ લોકોમાં હોય છે હાર્ટ એટેકનો ખતરો
જે લોકો સ્થૂળતા અથવા પેટની ચરબીથી પરેશાન છે તેઓ હંમેશા જોખમમાં રહે છે.
હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા લોકોને હાર્ટ એટેક આવી શકે છે.
જો તમે શારીરિક પ્રવૃત્તિ નથી કરતા તો તમને હાર્ટએટેકનો ખતરો વધી શકે છે
જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમને હૃદયની બીમારીઓ થઈ શકે છે.
સમયસર ભોજન ન લેવું અને ખાવાનો સમય બદલવો જોખમી છે
જે લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લે છે.
જે લોકોના હૃદયના ધબકારા અસામાન્ય હોય છે.
હાર્ટ એટેકથી બચવાના ઉપાયો
જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય હાર્ટ એટેક ન આવે તો સૌથી પહેલા તમારી ખાવાની આદતોમાં બદલાવ લાવો. તાજા ફળો અને શાકભાજી ખાઓ જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય.
બહારનો ઓઇલી ખોરાક ખાવાનું ટાળો કારણ કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના સેવનથી નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે.
તમારું વજન નિયમિતપણે તપાસતા રહો અને વજનને નિયંત્રિત કરવા માટેના તમામ ઉપાયો અપનાવો, યાદ રાખો કે પેટની ચરબી વધવી એ હૃદય માટે સારું નથી.
સિગારેટ, આલ્કોહોલ અને કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કરશો નહી.
વધુ પડતું નમકીન એટલે કે સોડિયમ યુક્ત ખોરાક ખાવાથી બ્લડપ્રેશર વધે છે અને હૃદયની બીમારીઓ થાય છે.
આ લક્ષણોને ઈગ્નોર ન કરો
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)અનુસાર હાર્ટ એટેક પહેલા નબળાઇ, થોડુ માથુ દુખવું, ગળુ-જડબા અને પીઠમાં બેચેની અથવા દુખાવો થવો. જો તમને આવા કોઈ લક્ષણ દેખાય છે તો તેને હળવાશથી ન લેવું જોઈએ. તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.