ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ભારતની સ્થાયી સદસ્યતાનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અજહરને વૈશ્વિક આંતકી ઘોષિત કરવાનો સાથ આપ્યા બાદ કહ્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે સામેલ કરવું ખુબ જરૂરી છે. આ ઉપરાંત ફ્રાન્સે જર્મની, બ્રાઝિલ અને જાપાનની સભ્યતાની વકીલાત કરી છે. ત્યારે જાણીએ કે ભારતને જો UNSCમાં કાયમી સભ્ય પદ મળે તો શું ફાયદાઓ થાય અને આ પદ મેળવવું કેટલું જરૂરી છે.