સરકાર દ્વારા ખેડૂતોને જમીન પર પાક ધિરાણની સહાયતા કરવામાં આવે છે. ત્યારે સરકાર પાક ધિરાણ પણ અમુક ટકા વ્યાજ માફી આપે છે. પરંતું વ્યાજ જમા કરવાનાં વિલંબમાં ખેડૂત બેંકની તુમારશાહીનો ભોગ બને છે.
બેંકો વ્યાજ સિવાયના વિવિધ ચાર્જ શા માટે લે છે?
સરકારે કરવાની વ્યાજમાફીની સત્તાવાર જાહેરાત ક્યારે?
રાષ્ટ્રીયકૃત બેંકો સામે ખેડૂતોની ફરિયાદોનું નિવારણ શું?
ખેડૂતોને પાકધિરાણને નવા જૂની કરવાનો સમય નજીક આવતો જાય છે. ક્યાંક ખેડૂતોના પ્રશ્નો છે, તો મંડળીઓ પણ પાકધિરાણના પ્રશ્ને વહીવટી સમસ્યાઓથી લદાયેલી હોય છે. નફો કરવાની વૃત્તિ ધરાવતી બેંકો અને નફાની સાથે સેવાનો હેતુ ધરાવતી મંડળીઓ, પાકધિરાણની યોજનાના મુખ્ય બે પૈડા છે. મંડળીઓની ઉદારતા અને નિષ્ઠા ખેડૂતોને ઠંડક આપનારી છે, તો બેંકોનું નફાખોરીનું વલણ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરનારું છે. સરકારની આ ઉત્તમ યોજનાનો લાભ ગુજરાતનો ખેડૂત પણ લઈ રહ્યો છે, પરંતુ બેંકોની વહીવટી પ્રક્રિયા સામે ખેડૂતો પ્રશ્નો કરી રહ્યાં છે. વ્યાજ જમા કરવામાં વિલંબના કારણે બેંકોની તુમારશાહીનો ભોગ ખેડૂત બને છે
રાજ્ય સરકાર ખેડૂતો વતીથી 3 ટકા અને કેન્દ્ર સરકાર ખેડૂતો વતીથી 4 ટકા વ્યાજની માફી આપે છે. સરકાર જાહેરાત કરે છે પરંતુ વ્યાજ જમા આપવામાં થતા વિલંબના કારણે ક્યાંક બેંકોની તુમારશાહીનો ભોગ ખેડૂતો પણ બને છે. ક્યાંક બેંકો ખેડૂતોને એવું પણ કહી દે છે કે સરકારે ટીવીમાં જાહેરાત તો કરી પરંતુ પરિપત્ર અમને મળ્યો નથી, અને પરિપત્ર ન મળે ત્યાં સુધી ખેડૂતો લાભ મળતો નથી. ગુજરાત સરકાર વ્યાજમાફીનો પરિપત્ર વહેલાસર કરે, તો મંડળીઓ, બેંકોની અસમંજસ પણ પૂરી થાય અને યોજનાના લાભાર્થી એવા મૂળ ખેડૂતો રાહતનો શ્વાસ લે. જ્યારે માર્ચ મહિનાનો અંત આવી રહ્યો છે, ત્યારે ખેડૂતો, મંડળીઓના પાકધિરાણ ચૂકવવાનો સમય પણ નજીક આવી રહ્યો છે.
સરકાર પાક ધિરાણ સહાય મુદ્દે જાહેરાત કરે છે
ખેડૂતો દ્વારા પૂછવા પર પરિપત્ર ન મળ્યો હોવાની કરે છે રજૂઆત
ખેડૂતોને 7 ટકા વ્યાજે પાક ધિરાણ આપવામાં આવે છે
સરકાર સમયસર પરિપત્ર ન કરતા ખેડૂતોની મુશ્કેલી વધે છે
બેંક-સરકાર વચ્ચે પિસાય છે ખેડૂત
સરકાર પાક ધિરાણ સહાય મુદ્દે જાહેરાત કરે છે. પરંતું બેંકો પાક ધિરાણ સહાય તાત્કાલિક લાગુ કરતી નથી. ત્યારે ખેડૂતો દ્વારા પૂછવા પર પરિપત્ર ન મળ્યો હોવાની રજૂઆત કરે છે. જેમાં ખેડૂતોને 7 ટકા વ્યાજે પાક ધિરાણ આપવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા અને રાજ્ય સરકાર 4 ટકા રાહત આપે છે. ત્યારે ખેડૂતે દર વર્ષે પાક ધિરાણનું વ્યાજ ચૂકવવાનું હોય છે. બાદમાં આ વ્યાજ પરત મળી જાય છે. પરંતું સરકાર સમયસર પરિપત્ર ન કરતા ખેડૂતોની મુશ્કેલી વધે છે.
31 મે પહેલા ખેડૂતોને પાક ધિરાણ બેંકમાં ભરવું ફરજીયાત છે
પાક ધિરાણ લેવા માટે ખેડૂતોને નોડ્યુ સર્ટી લેવા ફરજ પાડવામાં આવે છે
ખેડૂતોને ગામડાઓથી જે તે તાલુકા કેન્દ્ર સુધી ધરમના ધક્કા ખાવા પડે છે
સહકારી બેંકોમાંથી લોન ન મળતાં ખેડૂતો અન્ય બેંકો તરફ વળે છે
પાક ધિરાણ લેવામાં પડતી મુશ્કેલીઓ
31 મે પહેલા ખેડૂતોને પાક ધિરાણ બેંકમાં ભરવું ફરજીયાત છે. ત્યારે બેંકોની આડોડાઈના કારણે ધિરાણ ભરવામાં મુશ્કેલી પડે છે. ભરેલા નાણા ફરી ઉપાડવા માટે પણ ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. ખેડૂતોને પાક ધિરાણ લેવા માટે નોડ્યુ સર્ટી લેવા ફરજ પાડવામાં આવે છે. પરંતું ખેડૂતોને નોડ્યુ સર્ટી માટે સિક્કા અને સહી લાવવામાં મુશ્કેલી પડે છે. જેમાં ખેડૂતોને અનેક બેંકના ધક્કા ખાવા પડે છે, અનેક અઠવાડીયા સુધીનો સમય પણ લાગે છે. ખેડૂતોને ગામડાઓથી જે તે તાલુકા કેન્દ્ર સુધી ધરમના ધક્કા ખાવા પડે છે. સહકારી બેંકોમાંથી લોન ન મળતાં ખેડૂતો અન્ય બેંકો તરફ વળે છે.