1 ફેબ્રુઆરી 2021ને દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. નાણાકીય વર્ષ 2020-21માં સ્વીકૃત બજેટ 30 લાખ કરોડ રુપિયાનું હતુ. સામાન્ય લોકોના મનમાં સવાલ હોય છેકે સરકાર બજેટમાં જે મોટા મોટા એલાન કરે છે તેના માટે પૈસા ક્યાંથી આવે છે. સરકારની આવકનો સોર્સ શું છે.
સૌથી વધારે ઉધાર અને અન્ય જવાબદારીઓમાંથી ફંડ આવે છે
જીએસટી અને અન્ય ટેક્સમાંથી પૈસા મળે
આ વખતે ગત 100 વર્ષના બજેટની સરખામણીએ બિલકુલ અલગ રહેશે
દરેકને બજેટમાં આશા છે. કોઈને ટેક્સ છૂટની આશા છે તો કોઈ અન્ય રીતે મદદની આશા કરે છે. હકિકતમાં સૌથી વધારે ઉધાર અને અન્ય જવાબદારીઓમાંથી ફંડ આવે છે. એ બાદ જીએસટી અને અન્ય ટેક્સમાંથી પૈસા મળે છે.
ઉદાહરણ તરીકે એક રુપિયાની આવકમાં મુખ્ય રીતે સરકારની પાસે આ રસ્તાઓથી પૈસા આવે છે.
હવે આ રકમને સરકાર બજેટના લોકકલ્યાણ યોજનાઓથી લઈને બીજા મદોં પર ખર્ચ કરે છે. અર્થશાસ્ત્રીઓની મદદથી એક રુપ રેખા તૈયાર કરવામાં આવે છે. કોઈ સેક્ટર અને કોઈ મંત્રાલયને કેટલા ફંડની જરુર છે. આવો જાણીએ સરકાર જમા રાશિ ક્યાં ક્યાં ખર્ચ કરે છે.
વ્યાજની ચૂકવણી- 18 પૈસા
કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ- 13 પૈસા
નાણા આયોગ અને અન્ય અંતરણ- 10 પૈસા
ટેક્સ અને ફીમાં રાજ્યોનો ભાગ- 20 પૈસા
કેન્દ્રીય પ્રાયોગિક યોજનાઓ- 9 પૈસા
આર્થિક સહાયતા - 6 પૈસા
રક્ષા - 8 પૈસા
પેન્શન- 6 પૈસા
અન્ય વ્યય -10 પૈસા (કુલ 1 રુપિયાની આવકનો હિસાબ છે.)
જો કે ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણ કહી ચૂક્યા છે કે કોરોના મહામારીના કારણે આ વખતે ગત 100 વર્ષના બજેટની સરખામણીએ બિલકુલ અલગ રહેશે. એટલા માટે બજેટમાં આવક- અને ખર્ચના સોર્સમાં ફેરફાર થઈ શકે છે.