કોરોના વાયરસના સામાન્ય લક્ષણ દેખાય તો તેમના માટે આયુર્વેદિક દવા છે જે ખુબ કારગર સાબિત થઇ છે.
કોરોનાના સામાન્ચ લક્ષણ માટે દવા
ઝડપથી થાય છે બિમારીમાં રિકવરી
અલગ અલગ દવાખાનામાં કર્યો ટેસ્ટ
આયુષ 64 આયુર્વેદિક દવાએ નવી આશા જગાવી છે. આ દવા ઘણા કોરોના પેશન્ટને સાજા કર્યા છે. એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં પણ સારુ રિઝલ્ટ મળ્યુ છે.
કોરોનાથી રિકવરી ઝડપથી
આયુષ મંત્રાલયે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ હેઠળ દેશના અલગ અલગ હોસ્પિટલમાં દાખલ 140 દર્દીઓ પર આ દવાનો ટેસ્ટ કર્યો હતો. સ્ટડીમાં સામે આવ્યું કે કોરોના પેશન્ટ જલ્દી સ્વસ્થ થયા છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
શુગર પેશન્ટ માટે પણ ફાયદાકારક
એક્સપર્ટના કહ્યા અનુસાર આયુષ 64 દવા એલોપેથિક દવા સાથે પણ લઇ શકો છચો. આ દવાની માત્ર 2 ગોળી દિવસમાં બે વાર ગરમ પાણી સાથે લેવાની હોય છે. આયુર્વેદ ડૉક્ટર 2 અઠવાડીયાથી 12 અઠવાડીયા સુધી આ દવા ખાવાની સલાહ આપે છે. દાવો કરવામાં આવી રહ્યો છે તે આ દવા કોવિડ પેશન્ટને માનસિક અને શારીરિક બંને રૂપથી સ્વસ્થ કરે છે. તે સિવાય સ્ટડીમાં શુગર પેશન્ટને પણ સામેલ કરવામાં આવ્યા હતા તેમના પર પણ શાનદાર અસર જોવા મળ્યો છે.
કોરોનાની બીજી લહેર ખુબ જ કહેર વર્તાવી રહ્યો છે. સમગ્ર ભારતમાં રોજ લાખો લોકો મરી રહ્યાં છે અને તેમને દવાઓ તેમજ ઓક્સિજન પણ નથી મળી રહ્યો. આ કપરી પરિસ્થિતિમાં લોકો એકબીજાને બનતી બધી જ મદદ કરે છે પરંતુ આ આયુર્વેદિક દવા દ્વારા વધુ ફાયદો થશે.