ચીની સેના હજુ સરહદના વિવાદિત વિસ્તારોમાંથી સંપૂર્ણ રીતે હટી નથી એટલા માટે ભારતીય સેના પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદના વિવાદિત વિસ્તારોમાં પોતાની તાકાત વધારી રહી છે.
શું પૂર્વ લદ્દાખને પાસે આવેલ LAC પર ફરી કંઈક થવા જઈ રહ્યું છે?
ભારત અને ચીનની સરહદ પર અચાનક આટલી હલચલ કેમ?
ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી
ભારત અને ચીનની સરહદ પર અચાનક આટલી હલચલ કેમ થઈ રહી છે? શું પૂર્વ લદ્દાખને પાસે આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કંઈક થવા જઈ રહ્યું છે? આખરે ભારતને કેમ પૂર્વ લદ્દાખમાં અચાનક આટલા વધુ મિસાઈલો અને ટેન્ક તૈનાત કરવા પડ્યા?. .. શું ચીન ફરી ભારત પર ઘૂસણખોરી કરવાની યોજના ઘડી રહ્યું હતું જેની આ વખતે સેનાને અગાઉથી જાણ થઈ ગઈ હતી અને જેના કારણે સરહદ પર ટેન્ક, બંદૂકો અને મિસાઈલોનો એકાએક તૈનાતી વધવા લાગી?... શું ચીન ફરી એકવાર ગલવાન ખીણ જેવી ઘટનાનું પુનરાવર્તન કરવા માંગે છે? શા માટે ચીનની સેના હજુ સુધી LACના વિવાદિત વિસ્તારોમાંથી હટી નથી?...આ બધા પ્રશ્ન ફક્ત તમારા જ મનમાં નહીં પણ ભારતીય સેનાના મનમાં પણ છે અને એટલા માટે હવે સેના ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.
ચીની સેના સરહદના વિવાદિત વિસ્તારોમાંથી હજુ સંપૂર્ણ રીતે હટી નથી
ભારતીય સેના પૂર્વી લદ્દાખમાં આર્ટિલરી બંદૂકોથી લઈને ડ્રોન, અત્યાધુનિક ટેન્ક અને લેસર-ગાઇડેડ મિસાઇલોની તૈનાતીમાં વધારો કર્યો છે. હકીકતમાં ભારત હવે ચીનને ગલવાન વેલી જેવી ઘટનાનું પુનરાવર્તન કરવાની તક આપવા માંગતું નથી. જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં થોડા મહિના પહેલા ભારત અને ચીન વચ્ચેના વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકોની તૈનાતી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ભારતે પોતાની સેના પાછી ખેંચી લીધી હતી પણ માત્ર દેખાડા માટે ચીનમાંથી કેટલાક સૈનિકો પાછા ખેંચવામાં આવ્યા હતા. દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) લેફ્ટનન્ટ. જનરલ અનિલ ચૌહાણે પણ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે ચીની સેના હજુ સરહદના વિવાદિત વિસ્તારોમાંથી સંપૂર્ણ રીતે હટી નથી એટલા માટે ભારતીય સેના પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી અને સાવચેતીનાં પગલાં લઈ રહી છે. જો કે ત્યારપછી ભારતીય સેના સરહદના વિવાદિત વિસ્તારોમાં પોતાની તાકાત વધારી રહી છે.
ચીન LACના વિવાદિત વિસ્તારો પર કબજો કરવા માંગે છે
જણાવી દઈએ કે હાલમાં જ કેટલાક દેશોના ગુપ્તચર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા LACના ભારતના વિવાદિત વિસ્તારો પર સંપૂર્ણ કબજો કરવા માંગે છે. ગલવાન ખીણમાં ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પણ અચાનક અને અકારણ નહતી પણ એ દરમિયાન ચીન સફળ થઈ શક્યું ન હતું. શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે તેની શક્તિ વધુ મજબૂત બની છે અને એટલા માટે તે વિસ્તારવાદી નીતિ હેઠળ ભારતીય સરહદ સાથેના વિવાદિત વિસ્તારોને કબજે કરવા માંગે છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ પ્રમાણે ચીની સૈનિકો આ માટે વારંવાર ઘૂસણખોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે આ સાથે જ સંરક્ષણ નિષ્ણાતોના મતે વિદેશી દેશોના ગુપ્તચર અહેવાલો સિવાય ભારતીય સેના પાસે પણ આવી ગુપ્ત માહિતી મળી છે અને એટલા માટે ભારત પણ આ સંદર્ભમાં પોતાની સજ્જતા અને ક્ષમતા વધારી રહ્યું છે. આ વખતે ભારત ચીનને જડબાતોડ જવાબ આપવા માંગે છે અને એટલા માટે ભારત પૂર્વ લદ્દાખમાં અત્યાધુનિક અને અદ્યતન લડાયક વાહનોની સાથે સેનાની સંખ્યા પણ વધારી રહ્યું છે.
સ્વદેશી અને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવી સેના
જણાવી દઈએ કે ભારતનું સંરક્ષણ બજેટ હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજેટ બની ગયું છે અને છેલ્લા આઠ વર્ષમાં ભારતીય સેનાની તાકાતમાં પણ અનેકગણો વધારો થયો છે. જો કે આ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાથી શક્ય બન્યું છે. પીએમ મોદી ભારતીય સેનાને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવવા માંગે છે અને એ માટે સેનાને સતત અત્યાધુનિક દેશી-વિદેશી હથિયારોથી સજ્જ કરવામાં આવી રહી છે. ભારતની ત્રણેય સેનાઓની વધતી જતી તાકાત અને અત્યાધુનિક અદ્યતન શસ્ત્રોની હાજરીને કારણે હવે દુશ્મનો પણ દૂર રહેવા લાગ્યા છે. જણાવી દઈએ કે સક્રિય સૈનિકોની દ્રષ્ટિએ ભારત વિશ્વની ચોથી સૌથી મોટી સેના ધરાવે છે.