બોલીવુડની ટોચની અભિનેત્રી કરિશ્મા કપૂરે પતિ સંજય કપૂર સાથે છુટાછેડા લીધા બાદ મળતી માહિતી મુજબ કરિશ્માનું નામ સંજય તોશનીવાલ સાથે જોડાયું છે. કરિશ્મા અને સંજય લગ્ન કરવાના છે તેવી ચર્ચા થતી હતી.
સંજના છૂટાછેડા બાદ આ પ્રેમીપંખીડા પરણી જશે તેવી પણ વાત હતી. પરંતુ પિતા રણધીર કપૂરે જણાવ્યું છે કે કરિશ્માનો લગ્ન કરવાનો કોઇ વિચાર નથી. તે પોતાના બન્ને બાળકોને જવાબદારીથી ઉછેરી રહી છે. રિશ્મા બીજા લગ્ન કરવાની છે તે વાત સાવ ખોટી છે. હું તો ઇચ્છું છું કે તે ફરી લગ્ન કરીને પોતાનું ઘર વસાવે પરંતુ તે પોતે જ આ માટે તૈયાર નથી.
આ ઉપરાંત તેમને જણાવ્યું કે અમે કરિશ્મા સાથે આ બાબતે ઘણી વખત વાર કરી છે પરંતુ તેણે અમને સ્પષ્ટ કહી દીધું છે કે તે ફરી વખત પરિવાર શરૃ કરવા નથી માંગતી. તે પોતાનાબાળકો સમાયરા અને કિઆનાની જવાબદારી વફાદારીથી સંભાળી રહી છે. મારી પુત્રીને પ્રથમ સંબંધમાં જે કડવો અનુભવ થયો છે અને પછીથી તેણે પોતાને સંભાળીને તેના જીવનમાં આવેલ ખરાબ ઘડીનો તેણે સમ્માનથી સામનો કર્યો છે.
44 વર્ષીય કરિશ્મા અને સંજયે મુંબઇમાં ઘર ખરીદવાની વાત પણ ચગી હતી. પરંતુ લગ્ન ન કરવાની વાત હવે રણધીર કપૂર કરી રહ્યા છે. કરિશ્મા તેની બહેન કરીના અને અન્ય બહેનપણીઓ સાથે ખુશખુશાલ જીવન પસાર કરી રહી છે. તેને તેની બહેન કરીના અને બનેવી સૈફ અલી ખાનનો ઘણો સાથ છે.