ગુજરાતીઓની પસંદગીનું ધાર્મિક સ્થળ હરિદ્વાર બારેમાસ રિલિજિયસ ટૂરિઝમ તરીકે હોટ ફેવરિટ ગણાય છે. દિવાળીના તહેવારોમાં હરિદ્વાર જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર છે. જેમાં એક માત્ર ગુજરાતમાંથી પસાર થતી બાંદ્રા ટર્મિનસ દહેરાદૂન વાયા અમદાવાદ,વડોદરા અને હરિદ્વારનો સમાવેશ થાય છે. આ સાપ્તાહિક ટ્રેન સહિત અન્ય આઠ ટ્રેન રદ કરવાનો નિર્ણય રેલ સતાવાળાઓએ લેતા હરિદ્વાર માટે બુકિંગ કરાવી ચૂકેલા હજારો પ્રવાસીઓ તહેવારોમાં રઝળી પડશે.
પશ્ચિમ રેલવેની 12 ટ્રેન સંપૂર્ણ તેમજ ત્રણ ટ્રેન આંશિક રદ્દ
દિવાળીના સમયે જ હરિદ્વાર જતી અનેક ટ્રેન રદ
રેલ વિભાગમાં નોન-ઇન્ટરલોકિંગ કામ હોવાથી ટ્રેન રદ્દ કરાઇ
ઉત્તર રેલવેમાં હરિદ્વાર-લક્સર રેલ વિભાગમાં નોન-ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું હોવાથી તા.૧૫ થી ૨૧ ઓક્ટોબર સુધી પશ્ચિમ રેલવેની ૧૨ ટ્રેન રદ રહેશે. ઉપરાંત ત્રણ ટ્રેનને આંશિક રદ કરવામાંઆવી છે. આમ દિવાળીના તહેવાર સમયે જ આ રૂટની ટ્રેનોનું સંચાલન ખોરવાતાં હજારો મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડશે.
જાણો કઇ ટ્રેન ક્યારે રદ્દ કરાઇ
બાન્દ્રા ટર્મિનસ-દહેરાદૂન એક્સપ્રેસ તા.૧૫ થી ૨૧ ઓક્ટોબર સુધી રદ રહેશે. મૈસૂર-કોટા-મેરુત સિટી એક્સપ્રેસ પણ આજ સયમગાળા દરમિયાન જ રદ રહેશે. ઓખા-દહેરાદૂન અને કોચુવેલિ-દહેદાદૂન એક્સપ્રેસ તા.૧૮ ઓક્ટોબરના રોજ રદ રહેશે.
ઉદયપુર સિટી-હરિદ્વાર એક્સપ્રેસ તા. ૧૪ થી ૨૧ ઓક્ટોબર સુધી રદ રહેશે. ઉજ્જૈન-દહેરાદૂન તા.૧૬ અને ૧૭ ઓક્ટોબર તેમજ ઇન્દોર-દહેરાદૂન તા.૧૯ અને ૨૦ ઓક્ટોબરે રદ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેન પરતમાં પણ જે તે તારીખે રદ રહેનાર હોવાથી આ તમામ ૧૨ ટ્રેનના મુસાફરોને દિવાળી સમયે રેલવેની મુસાફરી કરવી મુશ્કેલ બનશે.
અમદાવાદ-હરિદ્વાર એક્સપ્રેસને તા.૧૨ થી ૨૧ ઓક્ટોબર સુધી મેરઠ સિટી જંક્શન સ્ટેશન સુધી દોડાવાશે. તા.૧૬ ઓક્ટોબરની ૨૨૯૧૭ બાન્દ્રા ટર્મિનસ-હરિદ્વાર એક્સપ્રેસ તેમજ તા.૧૫ ઓક્ટોબરની વલસાડ-હરિદ્વાર એક્સપ્રસને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન સુધી જ દોડાવાશે.આ સમયગાળો હજુ લંબાય તેવી પણ શક્યતા છે.