વેસ્ટ નાઈલ તાવ ક્યૂલેક્સ પ્રજાતિના મચ્છરથી ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, આ મનુષ્યોમાં એક ઘાતક સ્નાયવિક રોગનું કારણ બની શકે છે.
કોરોના બાદ નવી નવી બિમારીઓની થાય છે એન્ટ્રી
આ નવો વાયરસ આવ્યો સામે
મચ્છરથી ફેલાય છે આ વાયરસ
વેસ્ટ નાઈલ તાવ ક્યૂલેક્સ પ્રજાતિના મચ્છરથી ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, આ મનુષ્યોમાં એક ઘાતક સ્નાયવિક રોગનું કારણ બની શકે છે. પણ મોટા ભાગના સંક્રમિતમાં કોઈ લક્ષણ દેખાતા નથી. તે મુખ્ય રીતે સંક્રમિત મચ્છરોના ડંસવાથી ફેલાય છે.
રોગ નિયંત્રણ કેન્દ્રના જણાવ્યા અનુસાર, અમેરિકામાં મચ્છરજન્ય બિમારીનું મુખ્ય કારણ વેસ્ટ નાઈલ વાયરસ છે. WHOના જણાવ્યા અનુસાર આ પક્ષીઓ અને મચ્છરોની વચ્ચે સંચરણથી થાય છે. આ બિમારીથી મનુષ્ય, ઘોડા અને અન્ય સ્તનધારી જીવ સંક્રમિત થઈ શકે છે.
કેવી રીતે ફેલાય છે આ વાયરસ
માણસોમાં આ સંક્રમણ સંક્રમિત મચ્છરના ડંસવાથી અથવા પક્ષીઓને ખાવાથી ફેલાય છે. WHOનું કહેવુ છે કે, આ વાયરસ અન્ય સંક્રમિત જાનવરો, તેમના લોહી અને ટિશ્યૂઝના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
આ બિમારી ટ્રાંસપ્લાસેંટલમાં પણ હોઈ શકે છે. જો કે, અત્યાર સુધી ડાયરેક્ટ સંપર્કથી આ બિમારી થવાના ક્લૂ નથી મળ્યા. પણ સંક્રમિત લોહીની તપાસ કરનારા લૈબ વર્કર્સમાં WMN ટ્રાંસમિશનની સંભાવના રહે છે.
લક્ષણો શું છે
WHOના જણાવ્યા અનુસાર, આ લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો, ઉલ્ટી, ક્યારેક ક્યારેક ચામડી પર લાલ ચકામા અને સોજા જેવા લક્ષણોનો પણ સમાવેશ થાય છે. વધારે ગંભીર બિમારીના લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, ડોકમાં અકડ, સ્તબ્ધ થઈ જવું, ભટકવું, કોમા, કંપકંપારી, માંસપેશીઓમાં નબળાઈ, લકવો વગેરે છે. ખાસ કરીને 3થી 14 દિવસ સુધીમાં આવા લક્ષણો નજરે પડે છે.